એક તરફ કોરોનાના નવા વેરિયન્ટના ફેલાવા સાથે ચોથું વેવ આવવાની શક્યતાએ, સરકાર સતત આરોગ્ય તંત્રને આદેશ આપવાના દાવા કરી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ આવશ્યક ગણાતી એવી પેરાસિટેમૉલ સિરપ જે બાળકો માટે અતિ આવશ્યક છે તે ખૂટી પડી છે. છેલ્લા દોઢ મહિનાથી સિવિલના બાળ વિભાગમાં શરદી, ઉધરસ અને વાઈરલના બાળ દર્દીઓને પેરાસિટેમૉલ સિરપ બહારથી લાવવાનું કહેવામાં આવવાથી દર્દીઓમાં પેરાસિટેમૉલની માંગ ઊઠી હતી.
Advertisement
Advertisement
પેરાસિટેમોલ તમામ પ્રકારના વાઈરલમાં વપરાતી એક બેઝીક મેડિસિન છે અને તે ના મળતા મોટા ભાગના દર્દીઓએ બહારથી ખરીદવી પડી હતી. જો કે તંત્ર દ્વારા આ વાતને રદીયો આપવામાં આવ્યો છે.
પિડિયા વિભાગમાં બાળકો માટે પેરાસિટેમોલ સિરપના રુપમાં મળે છે. છેલ્લા ઘણાં દિવસથી અનેક દર્દીઓને પેરાસિટમોલ સિરપ માટે હાલાકી વેઠવી પડી રહી છે.
Advertisement