બિહારના રોહતાસમાં એક આગ લાગવાની ઘટનામાં 6 લોકોના મોત થઇ ગયા છે. રોહતકના કછવા પોલીસ સ્ટેશન નજીક ઇબ્રાહિમપુર પુલની નજીક મંગળવારે એક ઝૂપડપટ્ટીમાં આગ લાગવાની છ લોકોના મોત થઇ ગયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
આગ કેવી રીતે લાગી?
ગ્રામજનો અને સંબંધીઓના જણાવ્યા મુજબ રસોઈ બનાવ્યા બાદ ચૂલામાં રહેલા આગના કારણે ઘટના બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ઘઉંની કાપણી પછી બધા લોકો બપોરે આવ્યા હતા અને રસોઈ કર્યા પછી સૂઈ ગયા હતા.
આ દરમિયાન આગ ઝૂંપડાને લપેટમાં લીધી હતી. દિવાલ સ્ટીલની શીટથી બનેલી હોવાને કારણે તે આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી અને કોઈને બચવાની તક મળી ન હતી.
Advertisement