અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યના મહેસાણા જિલ્લામાં રૂ. 5,950 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટસ ખેડૂતોને સશક્ત બનાવશે અને જિલ્લામાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે તેઓ જે પણ વચન આપે છે, તે પૂરા કરે છે અને ‘લોકો તેના વિશે જાણે છે.’ પીએમ મોદીએ કહ્યું કે “લોકો જાણે છે કે જ્યારે હું કોઈ પણ વચન આપું છું, ત્યારે હું તેને પૂર્ણ કરું છું.” … દેશમાં સ્થિર સરકારને કારણે વિકાસના કામોને વેગ મળ્યો છે.
Advertisement
Advertisement
ગઈકાલે PM નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરીને યાત્રાની શરૂઆત કરી હતી. મહેસાણા રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે આજે 30મી ઓક્ટોબર છે અને આવતીકાલે 31મી ઓક્ટોબર છે, આ બે દિવસ આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. આજે ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે. આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. જેમણે આઝાદી માટે લડત આપી અને અંગ્રેજો સામે સખત લડત આપી. આપણી પેઢીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોઈ, આપણે સરદાર પટેલ પ્રત્યે ખૂબ જ આદર વ્યક્ત કરીએ છીએ. આવનારી પેઢીઓ સરદાર પટેલની પ્રતિમાને જોશે પણ નમશે નહીં, પરંતુ માથુ ઉંચુ રાખશે.
મહેસાણામાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અહીં આવતા પહેલા મને અંબાજી મંદિરના દર્શન કરવાનો મોકો મળ્યો, જે રીતે ‘ગબ્બર’ પર્વત (અંબાજી ગામની પશ્ચિમે આવેલી એક નાની ટેકરીને દેવીનું મૂળ સ્થાન માનવામાં આવે છે.) વિકસાવવામાં આવી રહી છે. મેં ગઈકાલે ‘મન કી બાત’માં તેના વિશે વાત કરી હતી.
Advertisement