સ્પૉર્ટ્સ ડેસ્ક: ટી-20 વર્લ્ડકપમાં ઇજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યા કોણ લેશે, તેને લઇને નવુ અપડેટ સામે આવ્યુ છે. મોહમ્મદ શમીએ પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે, જેને કારણે તે હવે ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છે. બીજી તરફ શમી સિવાય મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને પણ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી રહ્યા છે. એવામાં આ જોવુ રસપ્રદ હશે કે બુમરાહની જગ્યાએ કોને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવે છે.
Advertisement
Advertisement
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોહમ્મદ શમી, સિરાજ અને શાર્દુલ ઠાકુર 13 ઓક્ટોબરે ભારતથી ઓસ્ટ્રેલિયા રવાના થશે. આ ત્રણેય બોલરમાંથી કોઇ એકને બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
મહત્વપૂર્ણ છે કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વન ડે સીરિઝમાં સિરાજે સારી બોલિંગ કરી હતી અને એવામાં આશા કરવામાં આવી રહી છે કે મોહમ્મદ સિરાજને બીસીસીઆઇ બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરી શકે છે, જેની જાહેરાત થોડા દિવસોમાં કરવામાં આવી શકે છે. આઇસીસીને 15 ઓક્ટોબર સુધી ભારતે પોતાની અપડેટેડ ટીમ મોકલવાની છે. એવામાં આશા કરવામાં આવે છે કે તે પહેલા બીસીસીઆઇ બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે.
આ પણ વાંચો: ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC T20 વર્લ્ડ કપ 2022માંથી બહાર
રિપોર્ટ અનુસાર દીપક ચહર પીઠમાં ઇજાને કારણે ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. ભારતીય ટીમમાં ટી-20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે. આ પહેલા ટીમ ઇન્ડિયા અન-ઓફિશિયલ વોર્મ અપ મેચ પણ રમશે. ભારતીય ટીમ 17 અને 19 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચ રમશે.
Advertisement