નવી દિલ્હી: ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC T20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગયો છે.
Advertisement
Advertisement
બીસીસીઆઈની મેડિકલ ટીમે આ વાતની પુષ્ટિ કરી છે.
બીસીસીઆઈના સચિવ જય શાહે એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું છે કે આ નિર્ણય વિગતવાર મૂલ્યાંકન અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે.
IPLમાં ફિટ પરંતુ વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત, જસપ્રીત બુમરાહ પર સવાલો ઉઠી રહ્યા છે
જો બુમરાહ T20 વર્લ્ડ કપમાં નહીં રમે તો તેની જગ્યાએ ક્યો બોલરનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવશે.
બુમરાહ પીઠની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ત્રણ મેચની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
જસપ્રીત બુમરાહના સ્થાને ક્યા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવશે, BCCI ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.
Advertisement