નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનો અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે.
Advertisement
Advertisement
બજેટ 2023ની મહત્વની વાતો
- ઉર્જા સુરક્ષા ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, નવીકરણીય ઉર્જા ક્ષેત્રમાં 20,700 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0ની શરૂઆત કરવામાં આવશે. દેશમાં 30 સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપવામાં આવશે
- 7 લાખ સુધીની આવક પર ટેક્સ લેવામાં નહી આવે. 5 લાખથી વધારીને સીમા 7 લાખ કરવામાં આવી
- સફાઈકર્મીઓ માટે યોજના બનાવાશે
- માણસોના બદલે મશીનરીથી ગટર સાફ થશે
- કેદીઓને જામીન માટે આર્થિક મદદ કરાશે
- EPFOમાં નોંધાયા 7 કરોડથી વધુ લોકો
- નિષ્ફળ થઈ ગયેલા લઘુ ઉદ્યોગો માટે રિફન્ડ સ્કીમ લાવવામાં આવશે
- ઈ-કોર્ટનો ત્રીજો ફેઝ શરૂ થશે અને તેના માટે 7 હજાર કરોડનું રોકાણ કરાશે
- 5G માટે દેશમાં 100 લેબોરેટરી શરૂ કરાશે
- ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ ખર્ચાશે
- આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ માટે 3 નવા સેન્ટર બનશે
- MSME માટે પણ નવી યોજનાઓ લાગૂ કરાશે
- રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે
- ઓળખ પત્ર તરીકે PAN કાર્ડને માન્યતા
- પીએમ આવાસ યોજનાનું ફંડ વધારવામાં આવશે
- રેલ્વેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
- દુનિયામાં મંદી ચાલી રહી છે પણ આપણી ઇકોનોમિ મજબૂત
- એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં આગામી 3 વર્ષમાં કેન્દ્ર 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને સેવા આપતી 740 શાળાઓ માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની ભરતી કરશે : FM
- 6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના શરૂ થશે
- કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
- પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ
- પશુપાલન, ડેરી અને માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરાશેઃ નાણામંત્રી
- માછીમારો માટે પેકેજની જાહેરાત
- 80 કરોડ લોકોને 28 મહિના સુધી મફત અનાજ
- મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર ભાર મૂકાશે
- પર્યટનમાં યુવાનોને રોજગારી અપાશે
- દેશમાં 157 નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે
- માછીમારો માટે 6000 કરોડનું સ્પેશિયલ પેકેજ
- સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 11.8 કરોડ શૌચાલય
- ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મિલેટનું ગઠન થશે
- ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવા પ્રોગ્રામ
- સહકારી બેન્કોનું કોમ્પ્યુટરાઈઝેશન કરાશે
- ફાર્માસ્યુટિકલ્સમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે નવી શરૂઆત કરાશે અને કાર્યક્રમ ઘડાશે
- હવે ભૂગર્ભમાં નહીં ઉતરે સફાઈ કર્મચારીઓ. 2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું સરકારનું અભિયાન છે
- બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે
- ગુણવત્તાયુક્ત પુસ્તકોની સુવિધા માટે રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે: FM
- બાળક અને યુવાઓ માટે નેશનલ ડિઝિટલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે
- કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને પ્રાથમિકતા આપવામાં આવશે
- 2014થી બનેલા વર્તમાન 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિગ કોલેજ સ્થાપવામાં આવશે
- બજેટ 2023-24: એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ બનાવવામાં આવશે
- 80 કરોડ લોકોને 28 મહિના માટે મફત અનાજ આપવામાં આવ્યું: નાણામંત્રી સીતારમણ
- ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં 10માં નંબરથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે: નાણામંત્રી
- મફત અનાજ યોજનાને આગામી એક વર્ષ માટે વધારવાનું એલાન
- સાચી દિશામાં આગળ વધી રહ્યુ છે દેશનુ અર્થતંત્ર
- 80 કરોડ લોકોને મફત અનાજ મળશે
- મફત અનાજ યોજનામાં 2 લાખ કરોડ ખર્ચાશે
- અમૃતકાળનું પ્રથમ બજેટ
- બજેટમાં અમારી 7 પ્રાથમિકતાઓ
- પ્રથમ પ્રાથમિકતા સૌનો સાથ સૌનો વિકાસ
- બીજી પ્રાથમિકતા ખેડૂતો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- PM ગરીબ કલ્યાણ યોજના માટે એક લાખ કરોડ
- અંત્યોદય યોજનાના લાભાર્થીઓને મફત અનાજ
ભારતીય અર્થવ્યવસ્થા ચમકતો સીતારો- નિર્મલા સીતારમણ
નિર્મલા સીતારમણે કહ્યુ- દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને ચમકતો સીતારો માન્યો છે. દુનિયામાં ભારતનું કદ વધ્યુ છે. ભારતીય અર્થવ્યવસ્થા સાચી દિશામાં ચાલી રહી છે અને સુવર્ણ ભવિષ્ય તરફ અગ્રેસર છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે અમે કોરોના કાળમાં આ સુનિશ્ચિત કર્યુ કે કોઇ પણ ભૂખ્યુ ના ઉંઘે. સરકારે 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરીને દરેક વ્યક્તિને ખાદ્યાન સુનિશ્ચિત કર્યુ. 28 મહિના સુધી 80 કરોડ લોકોને મફત રાશનની વ્યવસ્થા કરવામાં આવી.
અર્થવ્યવસ્થા વૃદ્ધિ દર 7% રહેવાનું અનુમાન-સીતારમણ
બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યુ કે વર્તમાન વર્ષ માટે આપણી અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 7% રહેવાનું અનુમાન છે, આ વિશ્વની મોટી અર્થવ્યવસ્થામાં સૌથી વધારે છે. ભારતીય અર્થવ્યવસ્થા સાચા રસ્તા પર છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે, તેમણે કહ્યુ કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 2 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવી રહી છે. અંત્યોદય યોજના હેઠળ ગરીબો માટે મફત ખાદ્યાન્નને એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યું છે.
47.8 કરોડ જનધન ખાતા ખોલાયા
G20ની અધ્યક્ષતા ભારત માટે મોટી ઉપલબ્ધિ, બજેટના માધ્યમથી 100 વર્ષની રૂપરેખા તૈયાર, આ બજેટમાં સાત પ્રાથમિકતા, સમાવેશી વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ, ગરીબ વર્ગ અને દિવ્યાંગોનો વિકાસ, SC STના વિકાસને પ્રાધાન્ય: નાણામંત્રી સીતારમણ
Advertisement