આજે ધોરણ-10નું પરિણામ નિર્ધારિત સમય કરતાં પંદર મિનિટ વહેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
આજે ધોરણ-10 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. આ વર્ષથી ગુજરાત બોર્ડ દ્વારા વોટ્સ એપ નંબર 6357300971 પર રિઝલ્ટ મળે તેવી સેવાઓ ચાલું કરી છે. દરેક વિદ્યાર્થીઓ પોતનો બેઠક ક્રમાંક આ નંબર મોકલાથી પરિણામ પ્રાપ્ત થાય છે.
ગુજરાત બોર્ડે સૌ ધોરણ-10 માટે પણ શરુ કરી છે. પ્રથમવાર એવું બન્યું છે કે સામાન્ય પ્રવાહ પછી ધોરણ-10નું પરિણામ આવ્યું હોય.
સાથે સાથે www.gseb.orgની વેબસાઈટ પર પણ આ રિઝલ્ટ ઉપલબ્ધ છે. આમ હવે ઓનલાઈન સાથે વોટ્સ એપનું ઓપ્શન પણ ધોરણ-10ના સાત લાખથી વધુ વિદ્યાર્થીઓને રિઝલ્ટ મેળવવામાં અનુકૂળતા આપશે.
- સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા
- સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર- 11.94 ટકા
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત- 76.45 ટકા
- સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ- 40.75 ટકા
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા- 272
- 30 ટકા કરતા ઓછુ પરિણમ ધરાવતી શાળાની સંખ્યા- 1084
- 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા- 157
- A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 6111
- A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 44480
- B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 86611
- B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 127652
- C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 139248
- C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 67373
- D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 67373
- E1* ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા- 3412
- નિયમિત પુરૂષ વિદ્યાર્થીનું પરિણામ- 59.58 ટકા
- નિયમિત મહિલા વિદ્યાર્થીનું પરિણામ- 70.62 ટકા
ગુજરાત બોર્ડ ની ધોરણ 10ની પરીક્ષાનું 64.22 % પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10ની પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવેલી તેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલો છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત રહ્યો છે. અહીં 76.45 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. અહીં માત્ર 40.75 ટકા પરિણામ આવ્યું છે.
આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 474893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલા છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલું છે.
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વ્હોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે ધો.12 સાયન્સના રિઝલ્ટ પછી ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવતું હોય છે, પરંતુ પ્રથમવાર ધો.12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પહેલાં ધો.10નું પરિણામ આવશે.
ધોરણ-10ના એક દિવસ પહેલાં સોશ્યલ મીડિયા પર ધોરણ-10ના વિદ્યાર્થીઓને અનુલક્ષીને અનેક સંદેશાઓ વાઈરલ થયા હતા. કોરોના પછીના કપરા સમયનો સામનો કરીને આ બાળકો આજે પરીક્ષા આપી રહ્યા છે જેની અસર શક્ય છે કે તેના પરિણામ પર દેખાય એ માટે અનેક લોકોએ જાત જાતના મેસેજ કર્યા હતા.
એક મેસેજમાં એવું લખવામાં આવ્યું હતું કે….ધોરણ-10નું પરિણામ જે આવે તે તમારા બાળકનેે પ્રેમ અને હૂંફ આપજો.
બીજા એક મેસેજમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ કોઈ જીવનનું અંતિમ પરિણામ નથી તો હતાશ ના થતા.
મોટા ભાગે વિદ્યાર્થી જ્યારે બોર્ડમાં આવે છે ત્યારે સ્પર્ધાત્મક રીતે બાળક સાથે વધુ પડતી અપેક્ષાઓ રાખવામાં આવે છે. જેના કારણે માતા-પિતા તેની પાછળ ટ્યૂશનનો ખર્ચ કરે છે. આ ઉપરાંત તેના પર વધુ પડતું ફોકસ કરે છે. આમ કરવાને કારણે બાળક વધારે તણાવનો ભોગ બનતું જાય છે.
ઘણાં મેસેજોમાં એવું પણ લખ્યું છે કે આજના ઓનલાઈન અને ઇન્ટરનેટ ઉપરાંત સ્કીલના જમાનામાં ડિગ્રી કરતાં આવડતની જરૂર વધુ છે.
જો કે આપણાં ભારતીય સમાજમાં શાળા-કૉલેજોના પરિણામને એટલું મહત્ત્વ આપવામાં આવે છે કે ફોનમાં પણ સગા-વ્હાલાં પરિણામ પૂછે છે અને એ રીતે તે વ્યક્તિ માટેની પૂર્વધારણાઓ નિયોજિત કરે છે.
પરિણામ જે આવે એ તેને વધાવી લેવું જોઈએ. સફળતા કરતાં નિષ્ફળતામાં બાળકોને આપણી હૂંફની વધુ જરૂર હોય છે.
હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ પણ એટલી જ વાઈરલ થઈ રહી છે….જો બીત ગઈ સો બાત ગઈ…લોકોમાં આ સમયે વધુ ઉચિત અને ગમતી પંક્તિઓ છે.
(તસવીર પ્રતિકાત્મક)
Advertisement