ક્રેડિટ કાર્ડ પર લાગતા ટીએસએસ રેટમાં માં હવેથી 20 ટકા ટીસીએસ ટ્રાન્સફર લિબરાઈઝ્ડ રેમિટન્સ સ્કિમ હેઠળ કપાશે. અત્યાર સુધીમાં આ રેટ માત્ર 5 ટકા હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હમણાં જ ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના એલઆરએસ સ્કીમ હેઠળ વિદેશ પ્રવાસ કરનારા અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા માટે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે ટીસીએસ કાપવામાં આવે છે. જે પહેલાં માત્ર પાંચ ટકા હતો પરંતુ હવેથી તે 20 ટકા કપાશે. આ રેટ 1 લી જૂનથી અસરકારક રહેશે.
Advertisement
Advertisement
જો તમે જુલાઈ પહેલા વિદેશ પ્રવાસ કરી રહ્યા છો અને તમારી થ્રેશહોલ્ડ લિમિટ રૂ.7 લાખની જે તો તમારા પર ટીસીએસ લાગૂ કરવામાં નહીં આવે. પરંતુ 1લી જુલાઈ પછી લિબરાઈઝ્ડ રેમિટન્સ સ્કિમ અંતર્ગત ટીસીએસ પેમેન્ટ 20 ટકા કરી દેવામાં આવ્યું છે. આ રેટ દરેક ભારતીય નાગરિકને લાગૂ પડે છે.
આ અંગે ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર રસેલ ગાઈતોંડેએ જણાવ્યું હતું કે આ નિયમ પ્રમાણે હવે એલઆરએસ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રેડિટ કાર્ડથી થતાં ટ્રાન્સફર મોંઘું થયું છે. આના કારણે જેમના બાળકો વિદેશ ભણિ રહ્યા છે અથવા તો જેમને મેડિકલનો ખર્ચો આવી રહ્યો છે અથવા તો જેઓ પોતાના પરિવાર સાથે લાંબો સમય વિદેશ પ્રવાસ કરી રહ્યા છે તેમને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ઼નો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવો પડે છે. એ રીતે જોઈએ તો હવે ઈન્ટરનેશનલ ક્રેડિટ ડેબિટ કાર્ડમાં આ લાગૂ પડતાં 5 ટકાને બદલે સીધા જ વીસ ટકા એટલે ત્રણસો ગણો ભાવ વધારો આવ્યો છે.
ગાઈતોંડેના જણાવ્યા પ્રમાણે ભારતીય નાગરીકોને ભારત બહાર 2,50,000 ડોલર પ્રતિ નાણાંકીય વર્ષની મર્યાદામાં ટ્રાન્સફર કરવા દેવામાં આવે છે. આ લિમિટમાં ભારતની અંદર પણ કોઈ એનઆરઆઈ કે ગિફ્ટ સિટિના યુનિટ માટે વાપરી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બહુ મોટી માત્રામાં ભારતમાંથી સ્થળાંતર થઈ રહ્યું છે અને બહુ મોટી માત્રામાં ગુજરાતી ડાયસ્પોરા સમગ્ર વિશ્વમાં પથરાયેલો છે ત્યારે 20 ટકા ટીસીએસ રેટની અસર દરેક એનઆરઆઈને થશે.
નિયમિત રીતે વિદેશથી નાણાં મોકલતા અને અહીંથી વિદેશ નાણાં મોકલતાં પરિવારો, સ્ટુડન્ટ વિઝા હોલ્ડરો, લાંબાગાળાના પ્રવાસીઓ, બિઝનેસ ગ્રૂપ્સને આ ક્રેડિટ કાર્ડની નવી પોલીસી લાગૂ પડશે.
Advertisement