કોરોનાનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તે જોતાં તે ત્રીજી લહેરની પરિસ્થિતિ સાથે ઘણો તે સંગતતા વધી રહી છે. શનિવારે દેશમાં કોરોનાના કેસોમાં 3800નો ઉમેરો થયો હતો. જાન્યુઆરી 2022માં ત્રીજી લહેર આવી હતી. જેમાં ડબલિંગ રેટ એક અઠવાડિયા કરતાં વધુ હતો. જ્યારે અત્યારે ડબલિંગ રેટ એક સપ્તાહ થઈ ગયો છે. 26 માર્ચથી 1લી એપ્રિલ સુધીમાં સમગ્ર દેશમાં કોરોનાના આંકડા 18450ને વટાવી ચૂક્યા છે. પરંતુ આ વખતે સૌથી અગત્યની વાત એ છે કે મૃત્યુદર સાવ નહીવત્ છે.
Advertisement
Advertisement
એક અઠવાડિયામાં 36 જણાંના મૃત્યુ થયા છે. કેરળ, ગોવા અને રાજધાની દિલ્હીમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય હિમાચલ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ બધાં જ રાજ્યોમાં છેલ્લા અઠવાડિયાની તુલનામાં ત્રણ ગણાં કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ કેસો વધી રહ્યા છે.
સાણંદની સંગીની હૉસ્પિટલના ડૉ. તપન શાહ જણાવે છે કે જે રીતે અમારી પાસે કેસો આવી રહ્યા છે તે સામાન્ય કેસો છે. મૃત્યુદર પણ એકદમ નહીવત્ત છે. ભારતમાં કોરોનાની એટલી મોટી કોઈ લહેર નથી.
Advertisement