જેમને કોરોના બે ડોઝ લીધા છે તેઓ ફુલ્લી વેક્સિનેટેડ થઈ ગયા છે. તેમને ખરેખર તો ત્રીજા ડોઝની જરૂર નથી. છતાં ત્રીજો ડોઝ ઈમ્યુનિટી વધારી શકે છે. આ શબ્દો છે ચેપી રોગ નિષ્ણાંત ડૉ.સુબ્રમણ્યમ સ્વામિનાથનના જેમણે જણાવ્યું હતું કે હવે કોઈ બૂસ્ટર ડોઝની ખરેખર જરૂર નથી.
Advertisement
Advertisement
આજકાલ એક તરફ વેક્સિનનો સ્ટોક નથી અને બીજી તરફ કોરોનાના વધતા કેસ લોકોને ચિંતા કરાવે છે ત્યારે ડૉ.સુબ્રમણ્યમ સ્વામિનાથને જણાવ્યું હતું કે જે લોકો પૂર્ણ રીતે વેક્સિનેટેડ નથી તેમણે વેક્સિન લઈ લેવી જોઈએ. પરંતુ જેમણે બેય વેક્સિન લઈ લીધી છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી.
તેમણે ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે વેક્સિન ચમત્કાર સર્જી શકે છે. તેનાથી અનેક લોકોના જીવ બચ્યા છે. સાવ નહિવત્ કક્ષાએ તેની ક્યાંક આડઅસર હશે પણ એ તો દુનિયાની દરેક વેક્સિનમાં જોઈ શકાય છે.
કોરોનાની વેક્સિને અનેક લોકોના જીવ બચાવ્યા છે.
Advertisement