રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરવામાં આવી હતી, જે સમિતિ દ્વારા ચાર તબક્કાનો સ્વીકાર કર્યો હતો. જે વયજુથ પ્રમાણે વિભાજન કરાયા છે અને તેની અમલવારી કરવા ઠરાવ કરાયો છે.
બાલવાટીકામાં ભણાવાનો અભ્યાસક્રમ જીસીઇઆરટી અલગથી તૈયાર કરશે અને તે જ અમલી બનશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબ શાળાકીય માળખું 5+3+3+4 મુજબનું રહેશે, જેમાં પાંચ વર્ષની વયજૂથ માટે પૂર્વ પ્રાથમિક રહેશે, જેમાં પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ તે પૈકી બાળકની ઉમરના 3+ વર્ષથી પાયાના તબક્કામાં શરુઆતના બે વર્ષ આંગણવાડી, પૂર્વ પ્રાથમિકના રહેશે ત્યારપછીનું એક વર્ષ 5+ થી 6 વર્ષની ઉંમર ધો.1 પહેલાનું વર્ષ બાલવાટીકા તરીકે ઓળખાશે. બાદ ધો.1-2, પણ પૂર્વ પ્રાથમિકમાં ગણાશે જ્યારે ધો.3 થી 5 પ્રારંભિક શિક્ષણમાં ધો.6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં અને ધો.9 થી 12 માધ્યમિક શિક્ષણ રહેશે.
આમ 1 જુનથી 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટીકામાં પ્રવેશ આપવા ઠરાવાયું છે તો છ વર્ષ પૂર્ણ કરનારને ધો.1માં પ્રવેશ અપાશે. વિદ્યાર્થી-શિક્ષક રેશીયો ધ્યાને લેતી વેળા બાલવાટીકાના વર્ગોની પણ ગણના થશે અને તેના આધારે સેટઅપ નક્કી કરવામાં આવશે.
Advertisement