વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ COVID-19 વૈશ્વિક આરોગ્ય કટોકટીનો અંત જાહેર કર્યો છે. અને એમ પણ કહ્યું કે આનો અર્થ એ નથી કે કોવિડ-19 સમાપ્ત થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે 30 જાન્યુઆરી 2020ના રોજ WHOએ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી હતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું આ નિવેદન રોગચાળાને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું છે.
અધિકારીઓએ જણાવ્યું કે વાયરસની ભયાનકતા જાન્યુઆરી 2021માં જોવા મળી હતી જે દરમિયાન અઠવાડિયે 1 લાખ વધુ લોકોના મૃત્યુ થયા હતા.
ઇટલી અને યુ.કેમાં કોરોના હાહાકાર મચાવ્યો હતો. સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયા હતા. ચાર વેવ્સમાં વહેચાયેલા કોરોનાની પહેલી અને બીજી લહેર વધારે ઘાતક હતી.
પાંચ વરસ ચાલેલા કોવિડે અનેકને લોંગ કૉવિડનો ભોગ પણ બનાવ્યા હતા. બ્રાઝિલમાં લોકોને અછતનો સામનો કરવો પડ્યો હતો. એશિયાઇ દેશો આર્થિક પાયમાલ થઈ ગયા હતા.
Advertisement