સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 12મી માર્ચ પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે. આ સંદર્ભે સીસીટીવી કેમેરા સુસજ્જા રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી અને જ્યારે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે ખબર પડી કે કેમેરા સાવ બંધ હાલતમાં છે. યુનિવર્સિટીમાં અતિ સંવેદનશીલ ગણાતા પરીક્ષા વિભાગમાં જ કેમેરા ચાલુ હાલતમાં નથી.
Advertisement
Advertisement
ભૂતકાળમાં પરીક્ષા વિભાગમાંથી પેપરોની ચોરી થયાની ઘટના બાદ તત્કાલીન કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે સીસીટીવી નાખી દીધા હતા. જેના વાયર યુનિયનના સભ્યોએ કાપી નાખ્યા છે અને કુલપતિની સૂચનાથી ફરીથી નવા વાયર નાખવાની પ્રક્રિયા થઇ હતી, પરંતુ યુનિયનના વિરોધ વચ્ચે તે પડતી મૂકાઇ હતી. પરીક્ષા વિભાગ જેે સૌથી વધુ સંવેદનશીલ છે તેમાં જ સીસીટીવી બંધ હાલતમાં છે.
યુનિવર્સિટી જેવી જાહેર સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા હોવા જરુરી છે. પરંતુ હમણાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીસીટીવી કેમરા તો લાગે છે પરંતુ કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગ ના થતું હોવાથી વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં રોષ ઊભો થયો હતો.
દરેક યુનિવર્સિટીને સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ ફરજીયાત છે અને તેના માટે સરકાર દ્વારા વિધિવત્ બજેટ ફાળવવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેમેરા તો લાગેલા છે પરંતુ તે માત્ર દેખાવના છે.
આ દેખાવના કેમેરાને આજે ચેક કરતાં માલૂમ પડ્યું હતું કે તેના દ્વારા કોઈપણ પ્રકારનું રેકોર્ડિંગનું કામ થતું નથી. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સુરક્ષા માત્ર નામ માત્રની છે એ સંબંધે અહીંના વિદ્યાર્થીઓમાં ચર્ચા જોવા મળી હતી.
Advertisement