નવી દિલ્હી: ઓનલાઈન લેવડદેવડને સુરક્ષિત બનાવવાના ઈરાદાથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડોની જાણકારી સુરક્ષિત રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ટોકન (યુનિક નંબર)વાળી નવી સિસ્ટમ શરૂ કરી છે.
Advertisement
Advertisement
સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, શનિવાર એટલે 1 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ આ નવી સિસ્ટમને મોટા વ્યાપારીઓ સરળતાથી ઉપયોગમાં લઈ શકશે પરંતુ નાના વ્યાપારીઓને આની જટિલતાઓ સામે ઝઝૂમવું પડશે અને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આવી સ્થિતિમાં નાના વેપારીઓને આરબીઆઈ પાસેથી અપેક્ષા હતી કે તે આ નવી સિસ્ટમની તૈયારી માટે થોડો વધુ સમય આપી શકે છે.
જોકે, રોયટર્સે પોતાની જાણકારીથી વાતચીતના આધાર પર જણાવ્યું છે કે આરબીઆઈ તરફથી વધારે સમય આપવાનો અત્યાર સુધી કોઈ જ સંકેત મળ્યા નથી.
શું છે નવી વ્યવસ્થા?
નવી વ્યવસ્થા અનુસાર, ક્રેડિટ અને ડેબિટ કાર્ડોની જાણકારીઓ ગોપનીય રાખવા માટે અલ્ગોરિધમ દ્વારા જારી ટોકનનો સહારો લેવામાં આવશે. આવું થવાથી તમારી કાર્ડની માહિતી અન્ય કોઈ પક્ષ પાસે જશે નહીં.
આરબીઆઈએ આમ તો 2019માં પ્રથમ વખત આ સિસ્ટમને શરૂ કરી હતી, પરંતુ અનેક મુશ્કેલીઓને જોતા અનેક વખત ડેડલાઈન વધારવી પડી હતી.
જે બાદ આરબીઆઈએ દેશની તમામ કંપનીઓને ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી સાચવવાનો આદેશ આપ્યો હતો.
Advertisement