નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટની અદાણી ગ્રુપ પર ઘણી મોટી અસર પડી રહી છે. ક્રેડિટ સુઇસ પછી સિટી ગ્રુપે પણ અદાણી ગ્રુપની કંપનીઓને બૉન્ડ્સના બદલે માર્જિન લોન આપવા પર રોક લગાવી દીધી છે. ક્રેડિટ સુઇસ પછી વધુ એક ઇન્ટરનેશનલ બેન્કિંગ ગ્રુપ સિટી ગ્રુપે અદાણી સિક્યુરિટીઝના માર્જિન લોન પર રોક લગાવી છે. સિટી ગ્રુપના આ નિર્ણય પછી અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
Advertisement
Advertisement
શું હોય છે માર્જિન લોન?
જ્યારે કોઇ પ્રાઇવેટ બેન્ક કોઇ કંપનીના ધિરાણ મૂલ્ય વેલ્યૂ ઝીરો કરે છે તો સબંધિત કંપનીને લોન ચાલુ રાખવા માટે રોકડની સાથે ટોપ અપ કરવું પડે છે. કંપનીએ વિકલ્પ હેઠળ બીજા કોલેટરલ આપવાના હોય છે. જો તે કંપની આમ કરવામાં અસમર્થ હોય તો કંપનીની સિક્યુરિટીઝ વેચીને ભરપાઇ કરી શકાય છે.
અમેરિકન શૉર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટ પછી ભારતના સૌથી મોટા બિઝનેસમેનમાંથી એક ગૌતમ અદાણીની મુશ્કેલી વધી ગઇ છે. એક અઠવાડિયામાં જ અદાણીની સંપત્તિ અડધી થઇ ગઇ છે અને ફૉર્બ્સની સૌથી અમીર બિઝનેસમેનની યાદીમાં ચોથા સ્થાન પરથી સીધા એક જ અઠવાડિયામાં 16માં સ્થાન પર પહોચી ગયા છે. અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કૈપમાં 100 અબજ ડૉલરનો જોરદાર ઘટાડો થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝે બુધવાર રાત્રે પોતાના 20 હજાર કરોડ રૂપિયાના FPOને પરત લેવા અને રોકાણકારોના પૈસા પરત કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ તમામ ઘરેલુ બેન્કોને અદાણી ગ્રુપની કંપનીને આપવામાં આવેલી લૉનનો રિપોર્ટ માંગ્યો છે.
અદાણીએ એશિયાના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન પણ ગુમાવ્યુ
અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મનો રિપોર્ટ સામે આવ્યા પછી સ્ટૉક તૂટવાને કારણે અદાણીએ FPO રદ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝના FPOને 100 ટકાથી વધારે સબ્સક્રિપ્શન છતા ગૌતમ અદાણીએ ફૉલો-ઓન-પબ્લિક ઓફર (FPO)ને પરત લેવાનો નિર્ણય કરવો પડ્યો હતો. કંપનીના શેર તૂટવાને કારણે ગૌતમ અદાણી દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં ઘણા નીચે જતા રહ્યા છે. આ સાથે તે એશિયા અને ભારતના સૌથી અમીર વ્યક્તિ પણ નથી.
ફૉર્બ્સના અબજપતિઓની યાદી અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિ 64.7 બિલિયન ડૉલર છે, અદાણીની સંપત્તિમાં 928 મિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. એક જાન્યુઆરી 2023થી લઇને અત્યાર સુધી અદાણીની સંપત્તિ 739 મિલિયન ડૉલર ઘટી છે.
આ પણ વાંચો: અદાણી ગ્રુપને કેટલી લૉન આપી? RBIએ ભારતીય બેન્કો પાસે માહિતી માંગી
અદાણી ગ્રુપના શેરમાં કેટલો ઘટાડો થયો (સમાચાર લખાય છે ત્યા સુધીની સ્થિતિ)
ગ્રુપની ફ્લૈગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર ગુરૂવારે 25 ટકા તૂટી ગયો છે. આ રીતે અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન્સ, અદાણી ટોટલ ગેસ લિમિટેડના શેર 10-10 ટકા તૂટી ગયા છે. જ્યારે અદાણી પોર્ટના શેર 12 ટકા તૂટ્યા છે. જ્યારે અદાણી પાવર- અદાણી વિલમરના શેર 5-5 ટકા તૂટ્યા છે.
અદાણી ગ્રુપની જેમાં ભાગીદારી છે તેવી NDTVના શેર પણ 5 ટકા તૂટ્યા છે. સિમેન્ટ બિઝનેસમાં ACC 2 ટકાથી વધારે તૂટ્યુ છે. અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીના શેર લોઅર સર્કિટ અથવા લોઅર સર્કિટની નજીક પહોચી ગયા છે.
અદાણી ટ્રાન્સમિશન- 10 ટકા તૂટ્યા
અદાણી એન્ટરપ્રાઇઝ- 25 ટકા તૂટ્યા
અદાણી ગ્રીન્સ- 10 ટકા તૂટ્યા
અદાણી પોર્ટ- 12 ટકા તૂટ્યા
અદાણી પાવર- 5 ટકા તૂટ્યા
અદાણી ટોટલ ગેસ લિમિટેડ- 10 ટકા તૂટ્યા
અદાણી વિલમર- 5 ટકા તૂટ્યા
NDTV- 5 ટકા તૂટ્યા
સિમેન્ટ બિઝનેસ- ACC- 2 ટકા તૂટ્યા
Advertisement