નવી દિલ્હી: કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું એક મહિના કરતા વધુ સમય સુધી હૉસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ નિધન થયુ છે. કૉમેડિયનના સ્વાસ્થ્યમાં વચ્ચે સુધારો જોવા મળ્યો હતો પરંતુ કેટલાક દિવસથી તેની હાલતમાં સુધારો નહતો થઇ રહ્યો. જ્યારથી રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારથી તે બેભાન હતો. રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastava) નો જન્મ કાનપુરમાં થયો હતો. આ વચ્ચે અમે તમને કૉમેડી કિંગના જીવનના કેટલાક કિસ્સા જણાવવા જઇ રહ્યા છીએ.
Advertisement
Advertisement
કાનપુરની ગલીમાંથી નીકળીને માયા નગરી સુધીની સફર નક્કી કરનારા રાજૂ ભૈયાએ પોતાના ટેલેન્ટના દમ પર લોકોના દિલો પર રાજ કર્યુ છે. કૉમેડીના બેતાજ બાદશાહને ગજોધર ભૈયાના નામથી પણ ઓળખવામાં આવતા હતા, કારણ કે તે આ નામથી કૉમેડી કરતા હતા. 25 ડિસેમ્બર 1963માં કાનપુરમાં જન્મેલા રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastava)ના પિતા રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ જાણીતા કવિ હતા. તે બલાઇ કાકાના નામથી કવિતા કરતા હતા. એક ઇન્ટરવ્યૂં દરમિયાન રાજૂ શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે બાળપણમાં તેને કવિતા સંભળાવવા માટે કહેવામાં આવતુ હતુ તો તે બર્થ ડેમાં જઇને કવિતા સંભળાવતા હતા.
1982માં રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastava) મુંબઇ જતા રહ્યા હતા અને અહીથી તેમનો સંઘર્ષ શરૂ થયો હતો. શરૂઆતના દિવસોમાં પોતાનો ગુજારો કરવા માટે તેને ઓટો રિક્ષા પણ ચલાવી હતી, તે બાદ તેને ફિલ્મમાં નાના-નાના રોલ કર્યા હતા. રાજૂ શ્રીવાસ્તવે બોલિવૂડમાં અનિલ કપૂરની ફિલ્મ તેજાબ દ્વારા પગ મુક્યો હતો. આ ફિલ્મમાં તેને કૉમેડી રોલ દ્વારા ચર્ચા જગાવી હતી. તે બાદ તેને સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયામાં ટ્રક ક્લીનરનો પણ રોલ કર્યો હતો. આ સિવાય તેને શાહરૂખ ખાન સાથે પણ ફિલ્મ બાજીગરમાં કૉલેજ સ્ટૂડન્ટનો રોલ કર્યો હતો. આ સિવાય તેને આમદની અઠન્ની ખર્ચા રૂપૈયામાં બાબા ચિન ચિન ચૂ, વાહ તેરા ક્યા કહેનામાં બન્ને ખાનના આસિસ્ટન્ટનો રોલ, મે પ્રેમ કી દીવાની હૂંમા શંભૂ, સંજનાના નોકર જેવી નાની-નાની ભૂમિકા નીભાવી હતી.
રાજૂ શ્રીવાસ્તવને અમિતાભ બચ્ચન ઘણા પસંદ હતા. બિગ બીની શોલે ફિલ્મ રાજૂ ભૈયાને ઘણી સારી લાગી હતી અને તેની અસર પણ તેમની પર થઇ હતી. આ ફિલ્મ જોયા બાદ તેમણે અમિતાભ બચ્ચનની જેમ બોલવુ, ઉઠવુ અને બેસવાનું શરૂ કરી દીધુ હતુ. અહીથી ગજોધર ભૈયાએ અમિતાભ બચ્ચનની મિમિક્રી કરવાનું ચાલુ કર્યુ હતુ. મહત્વપૂર્ણ છે કે રાજૂ શ્રીવાસ્તવ અમિતાભ બચ્ચનની મિમિક્રી સારી રીતે કરતા હતા. અમિતાભની મિમિક્રી કરવા પર પ્રથમ વખત તેને 50 રૂપિયા ઇનામ તરીકે મળ્યા હતા.
ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી પોતાની ટેલેન્ટ બતાવનારા રાજૂ ભૈયાને હવે મોટા બ્રેકની જરૂરત હતી અને પછી તે દિવસ આવ્યો જ્યારે રાજૂ શ્રીવાસ્તવે વર્ષ 2005માં સ્ટાર વન પર પ્રસારિત થનારા શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધો હતો. આ શોએ રાજૂ શ્રીવાસ્તવનું જીવન બદલી નાખ્યુ હતુ. આ શો દ્વારા તેને ખુબ નામના મળી હતી. આ તે શો હતો જેને રાજૂ શ્રીવાસ્તવ કૉમેડી કિંગ બન્યો અને ઘર ઘરમાં ગજોધર ભૈયાના નામથી જાણીતો બન્યો હતો. જોકે, આ શોમાં રાજૂ શ્રીવાસ્તવ રનર્સઅપ રહ્યો હતો.
ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ બાદ રાજૂ શ્રીવાસ્તવે જાણીતા રિયાલિટી શો બિગ બોસ-3માં પણ ભાગ લીધો હતો. તે બાદ તે કૉમેડી શો મહા મુકાબલા સીઝન-6 અને નચ બલિયે જેવા શોમાં પણ જોવા મળી ચુક્યો છે. મહત્વપૂર્ણ છે કે નચ બલિયેમાં રાજૂ શ્રીવાસ્તવ પ્રથમ વખત પોતાની પત્ની સાથે જોવા મળ્યો હતો.
Advertisement