ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડમાં નવી શિક્ષણ નીતિ અનુસાર સ્ટ્રક્ચરમાં ફેરફાર થઈ શકે છે. નવા રાષ્ટ્રીય અભ્યાસ ફ્રેમવર્ક (NFC) તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાંતોની પેનલ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા થાય એ માટે ભલામણ કરી શકે છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને આર્ટ્સને ભેગા કરીને એક સંયુક્ત અભ્યાસક્રમ બને તેવી પણ ભલામણો છે. આ ભલામણ પાછળનો હેતું કલા, વાણિજ્ય અને વિજ્ઞાનને અલગ કરતી માનસિક્તાને દૂર કરવાનો હોઈ શકે.
Advertisement
Advertisement
સૂત્રો અનુસાર એવી શક્યતા છે કે ધોરણ -9 અને ધોરણ-10ના માળખામાં પણ મોટા ફેરફાર થઈ શકે છે. જેમાં ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે.કસ્તૂરીરંગન હેઠળની બાર સદસ્યોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થો ધોરણ-10માં ઓછામાં ઓછા પાંચ વિષયો પાસ કરવા પડી શકે છે. એનસીએફ પેનલ-12માં વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત અને ધોરણ-10માંના વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ વખત બોર્ડની પરીક્ષાનું સૂચન થઈ શકે છે. નવી પોલીસી પ્રમાણે ધીમે ધીમે ઓનડિમાન્ડ પરીક્ષાઓની સુવિધા આવી શકે છે. સીબીએસઈના પુસ્તકોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓને વિવિધ 16 પસંદગી આધારિત અભ્યાસ પૂર્ણ કરવાનો પ્રસ્તાવ મૂકે તેવી પૂર્ણ શક્યતા છે.
પસંદગી આધારિત શિક્ષણથી મોટો લાભ એ થશે કે એક ચોક્કસ વિષયમાં રુચિ ધરાવતો વિદ્યાર્થી તેની રુચિના વિષયો ભણીને તે આગળ વધી શકશે. તેને રુચિ સિવાયના વિષયોમાંથી મુક્તિ મળતા તે વધુ સારી રીતે પોતાની કારકિર્દી ઘડી શકશે.
નવી શિક્ષણ પોલીસીના હવે ધીમે ધીમે અમલી કરણ થઈ રહ્યું છે ત્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કક્ષાએ મોટા ફેરફારો આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
Advertisement