એક તરફ સરકાર માતૃભાષા ગુજરાતી બચાવવામાં પડી છે તો બીજી તરફ અમદાવાદની દસ ગુજરાતી શાળાઓએ વિદ્યાર્થીઓ ન આવવાને કારણે શાળાઓ બંધ કરવા માટે અરજી કરી છે.
Advertisement
Advertisement
આ શાળાઓમાં નવજીવન પ્રા, શાળા, ખોડીયાર નગર, શિવમ પ્રા. શાળા, નરોડા, સરસ્વતી પ્રા. શાળા મણિનગર, મૌલાના આઝાદ સ્કૂલ, રાયખડ, અનુપમ વિદ્યામંદિર, સૈજપુર, આઈ.એન.પટેલ સ્વામિનારાયણ, ચાંદલોડિયા, ન્યૂ પરાગ સ્કૂલ, શીતલ પ્રા.સ્કૂલ, કામેશ્વર સ્કૂલ-સેટેલાઈટ, નાલંદા પ્રા.શાળા, આર.સી.પટેલ પ્રા.શાળા, શાદરા મંદિર શિશુમંદિર, દામુભાઈ શુક્લ પ્રાથમિક સ્કૂલ, ન્યૂ ફ્લોરોસેન્ટ પ્રા.સ્કૂલ-થલતેજ, વિદ્યાનગર ગર્લ્સ સ્કૂલ
જ્યારે બીજી તરફ 9 નવી અંગ્રેજી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ શહેર ડીઈઓ કચેરીમાં 20થી વધુ સ્કૂલોની વર્ગો બંધ કરવાની સુનાવણીના અંતે ઉપરોક્ત મંજૂરી આપવામાં આવી છે.
મોટા ભાગની શાળાઓને બંધ કરવાનું મુખ્ય કારણ ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓ ન આવતા હોવાનું છે. જો કે એક તરફ સરકાર ગુજરાતી માધ્યમ બચે એ માટે સતત પ્રયત્નો કરી રહી છે તો બીજી તરફ અંગ્રેજીનો ક્રેઝ વધુને વધુ બળવત્તર બની રહ્યો છે.
Advertisement