નવી દિલ્હી: દુનિયામાં સૌથી ઝડપથી વધતી ઇકોનૉમીના રૂપમાં ઉભરેલા ભારત માટે ઝટકો આપનારા સમાચાર છે. વર્લ્ડ બેન્કે ભારતના ગ્રોથ અનુમાનને 1 ટકા સુધી ઘટાડી દીધુ છે. પ્રથમ નાણાકીય વર્ષ 2022/23 માટે ગ્રોથનું અનુમાન 7.5 ટકા વ્યક્ત કરવામાં આવ્યુ હતુ પરંતુ હવે વર્લ્ડ બેન્કે કહ્યુ કે ભારત 6.5 ટકાના ગ્રોથ કરતા આગળ વધશે.
Advertisement
Advertisement
વર્લ્ડ બેન્કે જણાવ્યુ કાપનું કારણ
રોયટર્સના રિપોર્ટ અનુસાર, વર્લ્ડ બેન્કે ભારત માટે પોતાના વિકાસ પૂર્વાનુમાનને સંશોધિત કરતા ઓછુ કરી દીધુ છે, જેમાં નાણાકીય વર્ષ 2022/23 માટે તેને ઘટાડતા 6.5 કરી દીધુ છે. રિપોર્ટમાં કાપનું કારણ જણાવતા કહેવામાં આવ્યુ છે કે રશિયા-યૂક્રેન યુદ્ધ અને ગ્લોબલ મોનીટરી ટાઇટેનિંગથી ઇકોનોમિક દ્રષ્ટિકોણ પર અસર પડશે.
દેશના નિકાસ પર પડશે અસર
દક્ષિણ એશિયા પર વર્ષમાં બે વખત જાહેર થનાર વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અનિશ્ચિતતાના આ સમયમાં ખાનગી રોકાણમાં કમી આવવાની શક્યતા છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે ગ્લોબલ ડિમાન્ડમાં કમીથી દેશમાં એક્સપોર્ટ પર અસર પડશે.
આંતરરાષ્ટ્રીય સ્થિતિનો આપ્યો હવાલો
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) અને વર્લ્ડ બેન્કના વાર્ષિક બેઠક પહેલા જાહેર રિપોર્ટમાં બેન્કે કહ્યુ કે ભારતમાં દુનિયાના બાકી ભાગની તુલનામાં મજબૂત છે. મહત્વપૂર્ણ છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન ભારતની વૃદ્ધિ 8.7 ટકા રહ્યો હતો. રિપોર્ટમાં વર્લ્ડ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ હૈંસ ટિમરે કહ્યુ કે અન્ય દેશના મુકાબલે મજબૂત થવા છતા અમે ચાલુ નાણાકીય વર્ષ માટે અનુમાનને ઘટાડ્યુ છે, કારણ કે ભારત અને તમામ અન્ય દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્થિતિ ખરાબ થઇ રહી છે.
Advertisement