નવી દિલ્હી: અદાણી ગ્રુપે પોતાની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના 20,000 કરોડ રૂપિયાના ફૉલો-ઓન પબ્લિક ઓફર (FPO)ને પરત લઇ લીધો હતો. તે બાદ ગૌતમ અદાણીએ ખુદ સામે આવીને રોકાણકારોને સમજાવ્યુ અને FPOને પરત લેવાનું કારણ જણાવ્યું છે. 20,000 કરોડ રૂપિયા માટે આ FPO 27 જાન્યુઆરીએ સબ્સક્રિપ્શન માટે ખુલ્યુ હતુ અને 31 જાન્યુઆરીએ ફુલ સબ્સક્રાઇબ થઇને ક્લોઝ થયુ હતુ.
Advertisement
Advertisement
કેમ પરત લીધુ FPO?
ગૌતમ અદાણીએ કહ્યુ કે પુરી રીતે સબ્સક્રાઇબ્ડ FPO બાદ મંગળવારે તેને પરત લેવાના નિર્ણયે કેટલાક લોકોને ચોકાવી દીધા હશે પરંતુ કાલે બજારના ઉતાર-ચઢાવને જોતા બોર્ડે આ અનુભવ કર્યો કે FPO સાથે આગળ વધવુ નૈતિક રીતે યોગ્ય નહી હોય.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે કંપનીનો ઉદ્દેશ્ય શેરબજારમાં આવતા ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. એટલા માટે અમે FPOમાંથી મળેલી રકમ પરત કરવા જઈ રહ્યા છીએ અને તેનાથી સંબંધિત ટ્રાન્ઝેક્શન સમાપ્ત કરીશું.
ગૌતમ અદાણીએ કહ્યું કે મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે. તેથી, રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે, અમે FPO પાછો ખેંચી લીધો છે. આ નિર્ણયથી અમારી વર્તમાન કામગીરી અને ભાવિ યોજનાઓ પર કોઈ અસર થશે નહીં.
રોકાણકારોએ મારો સાથ આપ્યો
ગૌતમ અદાણીએ કહ્યું કે એક ઉદ્યોગસાહસિક તરીકેની 4 દાયકાથી વધુની મારી સફરમાં, મને તમામ હિતધારકો, ખાસ કરીને રોકાણકાર સમુદાય તરફથી જબરજસ્ત સમર્થન મળ્યું છે. મારા માટે એ સ્વીકારવું અગત્યનું છે કે મેં જીવનમાં જે કંઈ પણ મેળવ્યું છે તે તેમના વિશ્વાસને કારણે પ્રાપ્ત થયું છે. હું મારી બધી સફળતાનો શ્રેય તેમણે જ આપું છું.
શું હોય છે FPO?
ફોલો-ઓન-પબ્લિક ઑફર (FPO)ને સેકન્ડરી ઑફર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની વર્તમાન શેરધારકો તેમજ નવા રોકાણકારોને નવા શેર જારી કરે છે.
શેરોમાં ઘટાડો
બુધવારે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 28.5 ટકા ઘટીને રૂ. 2,128.70 પર બંધ થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝે રૂ. 3,112 થી રૂ. 3,276ની પ્રાઇસ બેન્ડમાં શેર વેચ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરેથી 49% થી વધુ નીચે છે. તેનો સ્ટોક માત્ર એક અઠવાડિયામાં 37% થી વધુ નીચે છે.
Advertisement