મુંબઇ: ટીવી પર રાજ કરનારા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વધુ એક સ્ટારે શો છોડી દીધો છે. દિશા વાકાણી અને શૈલેશ લોઢા પછી તારક મહેતાના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ શોને છોડી દીધો છે.
Advertisement
Advertisement
14 વર્ષ પછી શો છોડ્યો
માલવ રાજદા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને 14 વર્ષથી ડાયરેક્ટ કરતા હતા. સૌથી ચોકાવનારી વાત આ છે કે વર્ષો પછી તેમણે આ શોને છોડી દીધો છે, તેમનો આ નિર્ણય ચોકાવનારો છે.
માલવ રાજદાએ 15 ડિસેમ્બરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું શૂટિંગ કર્યુ હતુ. શોના ડાયરેક્ટર માલવ રાજદા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે ટકરાવના સમાચાર હતા, જેને કારણે તેમણે શોને છોડવાનો નિર્ણય કર્યો છે. જોકે, માલવ રાજદાએ આ તમામ અટકળોને ફગાવી દીધી છે. માલવ રાજદાએ કહ્યુ- જો તમે સારૂ કામ કરો છો તો ટીમમાં ક્રિએટિવ ડિફ્રેંસ હોવુ સામાન્ય વાત છે પરંતુ આ શોને સારૂ બનાવવા માટે હોય છે. પ્રોડક્શન હાઉસ સાથે મારો કોઇ ટકરાવ થયો નથી. શો અને અસિત ભાઇ (શોના પ્રોડ્યૂસર)નો હું આભારી છું.
ડાયરેક્ટરે કેમ શો છોડ્યો?
માલવ રાજદાએ અંતે કેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહ્યુ? આ સવાલના જવાબમાં કહ્યુ- 14 વર્ષ સુધી શો કર્યા બાદ મને લાગ્યુ કે હું પોતાના કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યો ગયો હતો. મને લાગે છે કે ખુદને ક્રિએટિવલી ગ્રો કરવા માટે આગળ વધીને ખુદને ચેલેન્જ કરવી જરૂરી છે. પોતાના 14 વર્ષની જર્ની વિશે વાત કરતા માલવ રાજદાએ કહ્યુ- આ 14 વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષ રહ્યા છે. આ શોથી મને માત્ર ફેમ અને પૈસા જ નથી મળ્યા પણ મારી લાઇફ પાર્ટનર પ્રિયા પણ મળી છે.
Advertisement