INDVsBAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમ ચટગાંવના મેદાન પર પ્રેક્ટિસ કરી રહી છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના હિસાબથી ભારત માટે આ સીરિઝ મહત્વની સાબિત થવાની છે, એવામાં ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાએ કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપી છે, જે બાંગ્લાદેશ વિરૂદ્ધ સારી બોલિંગ કરી શકે છે.
Advertisement
Advertisement
ટીમ ઇન્ડિયામાં ઉત્તર પ્રદેશથી આવનારા સ્પિનર સૌરભ કુમારને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, તાજેતરમાં સૌભરે ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યુ હતુ, આ રમતને કારણે જ તેને ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મળી છે.
સૌભરને મળ્યુ 15 વિકેટ ઝડપવાનું ઇનામ
સૌરભ કુમારને ઇન્ડિયા એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યા તેને બાંગ્લાદેશ એ ટીમ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં સારૂ પ્રદર્શન કર્યુ હતુ. સૌરભે 2 ટેસ્ટ મેચમાં 15 વિકેટ ઝડપી હતી, તેને પ્રથમ મેચમાં બાંગ્લાદેશ એના 9 બેટ્સમેનોને આઉટ કર્યા હતા જ્યારે બીજી ટેસ્ટ મેચમાં સૌરભે 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા, તેના આ પ્રદર્શનને કારણે તેની પસંદગી ટેસ્ટ ટીમ માટે કરવામાં આવી છે.
સૌરભ બેટિંગ પણ કરી શકે છે
ખાસ વાત આ છે કે સૌરભ કુમાર બોલિંગની સાથે સાથે બેટિંગ પણ સારી કરે છે, એવામાં તેને ટેસ્ટ ટીમમાં રવિન્દ્ર જાડેજાનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. સૌરભ છેલ્લા 8 વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. સૌરભે પોતાની ક્રિકેટ કરિયરની શરૂઆત વર્ષ 2014માં પંજાબ તરફથી કરી હતી, તે બાદ તે યૂપી અને દિલ્હી તરફથી રમી ચુક્યો છે.
IPLમાં પણ રમી ચુક્યો છે સૌરભ
સૌરભના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે, તેન કેટલીક વખત પોતાના બેટથી ઉત્તર પ્રદેશની ટીમને જીતાડવામાં મદદ કરી છે, તેની એવરેજ 30ની રહી છે. સૌરભ આઇપીએલ પણ રમી ચુક્યો છે, તે પંજાબ કિંગ્સ ઇલેવન તરફથી રમે છે.
બાંગ્લાદેશ વિરૂદ્ધ કરી શકે છે ડેબ્યૂ
સૌરભ કુમારને આ વર્ષે શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યા તેને ડેબ્યૂની તક મળી શકી નહતી. જોકે, હવે તેને બાંગ્લાદેશ વિરૂદ્ધ પણ ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. જો સૌરભને તક મળે છે તો તે બાંગ્લાદેશ વિરૂદ્ધ સારૂ પ્રદર્શન કરી શકે છે.
Advertisement