સ્પોર્ટ્સ ડેસ્ક: આ વર્ષએ ભારતમાં વન ડે વર્લ્ડકપ રમાવાનો છે અને કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતની નજર ઇતિહાસ રચવા પર છે. અંતિમ વખત ભારતે વર્ષ 2011માં વર્લ્ડકપ જીત્યો હતો. આ વર્લ્ડકપ પણ ભારતમાં જ યોજાયો હતો, તે સમયે ટીમ ઇન્ડિયાના કોચ ગેરી કસ્ટર્ને ભારતીય ટીમ સાથે પોતાના અનુભવને શેર કર્યો છે, સાથે જ જણાવ્યુ કે જ્યારે તે ટીમ સાથે જોડાયો હતો તે સમયે સચિન તેંડુલકર ખુશ નહતો.
Advertisement
Advertisement
એક પૉડકાસ્ટમાં ગેરી કસ્ટર્ને ભારતીય ક્રિકેટ ટીમ સાથે પોતાના અનુભવને શેર કર્યો છે. ગેરી કસ્ટર્ને જણાવ્યુ કે જ્યારે તે ટીમ સાથે જોડાયો હતો, તે પહેલા જ ગ્રેગ ચેપલનો એપિસોડ બન્યો હતો. એવામાં ટીમમાં ઘણી નિરાશા હતી અને કેટલાક દિગ્ગજ ખેલાડી ઉદાસ હતા. ગેરી કસ્ટર્ને કહ્યુ કે તે દકમિયાન 2007 વન ડે વર્લ્ડકપમાં ભારતીય ટીમની ખરાબ હાલત થઇ હતી.
ગેરી કર્સ્ટને જણાવ્યુ કે જ્યારે તેમણે કમાન સંભાળી તો તેમનો અર્થ હતો કે આ ટીમને કેવી રીતે ચેમ્પિયન બનાવવામાં આવે, કારણ કે જોઇનિંગ સમયે ઘણો ડરનો માહોલ હતો અને કોઇ ખુશ નહતુ. ગુરૂ ગેરીના નામથી જાણીતા ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચે કહ્યુ કે સચિન તેંડુલકર તે સમયે ટીમના માહોલથી નિરાશ હતા અને તે ખુશ નહતા, તે એવો સમય હતો જ્યા તે રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહ્યા હતા.
ગેરી કર્સ્ટને જણાવ્યુ કે ત્યા મારી માટે તેમની સાથે વાત કરવી જરૂરી હતી અને તેમણે આ અનુભવ કરાવવો કે તે ટીમ માટે ઘણા જરૂરી છે. મહત્વપૂર્ણ છે કે ગેરી કર્સ્ટન 2007થી 2011 સુધી ટીમ ઇન્ડિયાના કોચ રહ્યા હતા, તેમણે રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને મહેન્દ્રસિંહ ધોની સાથે કામ કર્યુ હતુ. ગેરી કર્સ્ટન અને એમએસ ધોનીની કેપ્ટન-કોચ જોડીએ જ ભારતને વર્ષ 2011માં વન ડે વર્લ્ડકપ જીતાડ્યો હતો.
Advertisement