યૂએઇમાં એશિયા કપ વચ્ચે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે બાકી રહેલી મેચમાંથી બહાર થઇ ગયો છે. જાડેજાએ પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં બેટથી શાનદાર પ્રદર્શન કરતા 35 રન બનાવ્યા હતા.
Advertisement
Advertisement
બીસીસીઆઇએ કહ્યુ, અખિલ ભારતીય પસંદગી સમિતીએ વર્તમાન એશિયા કપમાં રવિન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલનો સમાવેશ કર્યો છે. રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઇજા થઇ છે અને તે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. તે બીસીસીઆઇની મેડિકલ ટીમની નજરમાં છે, તેના રિપ્લેસમેન્ટ અક્ષર પટેલ જેને પહેલા ટીમમાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો હતો, તે જલ્દી દૂબઇમાં ટીમ સાથે જોડાશે.
આઇપીએલ 2022 દરમિયાન પણ રવિન્દ્ર જાડેજાને ઇજા થઇ હતી જેને કારણે તેને કેટલીક મેચમાં બહાર થવુ પડ્યુ હતુ. જાડેજાએ તે બાદ ઇંગ્લેન્ડ પ્રવાસમાં કમબેક કર્યુ હતુ, તે બાદ તે સારા ફોર્મમાં હતો. હવે તેનું ટીમ ઇન્ડિયાની બહાર થવુ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
Advertisement