સ્પોર્ટ્સ ન્યૂઝ: એશિયા કપ 2022થી ટીમ ઇન્ડિયા બહાર થઇ ગઇ છે. પાકિસ્તાન અને શ્રીલંકા વિરૂદ્ધ હાર બાદ ટીમ ઇન્ડિયાના સિલેક્શન પર સવાલ ઉભા થયા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ હવે સવાલ ઉભા કર્યા છે.
Advertisement
Advertisement
શમીના ટીમમાં ના હોવાથી હેરાન છે શાસ્ત્રી
હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એશિયા કપમાં ભારતીય ટીમની પસંદગી પર સવાલ ઉભા કર્યા છે. ભારતીય ટીમમાં ફાસ્ટ બોલરની કમી પર ચર્ચા કરતા રવિ શાસ્ત્રીએ કહ્યુ કે તે મોહમ્મદ શમીને ટીમમાં ના જોઇને હેરાન છે. ભારતના પૂર્વ ઓલ રાઉન્ડરે કહ્યુ કે શમી વધારાના ફાસ્ટ બોલરનો વિકલ્પ આપી શકતો હતો જે અવેશ ખાનના અનફિટ થયા બાદ અનુભવાયો હતો.
પાકિસ્તાન વિરૂદ્ધ અંતિમ ઓવરમાં મળેલી હાર બાદ ભારતે શ્રીલંકા વિરૂદ્ધ રવિ બિશ્નોઇની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો હતો અને દિનેશ કાર્તિક ફરી એક વખત બેંચ પર બેઠો હતો. અવેશ ખાનના અનફિટ થવાનો અર્થ હતો કે ભારત પાસે ભૂવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહના રૂપમાં બે ફાસ્ટ બોલર હતા.
સિલેક્શન સારૂ થઇ શકતુ હતુ- રવિ શાસ્ત્રી
રવિ શાસ્ત્રીએ કહ્યુ, જ્યારે તમારે જીતની જરૂરત હોય છે તો તમારે સારી તૈયારી કરવાની હોય છે. મને લાગે છે કે પસંદગી સારી હોઇ શકતી હતી. ખાસ કરીને ફાસ્ટ બોલરની. તમે અહીની પરિસ્થિતિને જાણો છો, તેમાં સ્પિનર માટે કઇ નથી. મને ઘણુ આશ્ચર્ય થયુ હતુ કે તમે અહી ચાર ફાસ્ટ બોલર (હાર્દિક સહિત) સાથે આવ્યા. તમારે વધારાના બોલરની જરૂરત હતી. મોહમ્મદ શમી જેવો ખેલાડી ઘરે બેસે આ મને આશ્ચર્યમાં મુકે છે.
Advertisement