મુંબઇ: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મોતની દરેક તરફ ચર્ચા થઇ રહી છે. એક તરફ અફવા હતી કે તુનિષા પ્રેગનન્ટ હતી, આ વચ્ચે એક્ટ્રેસના પોસ્ટ મૉર્ટમ રિપોર્ટમાં કેટલાક ખુલાસા થયા છે.
Advertisement
Advertisement
નાના પરદાની જાણીતી એક્ટ્રેસ તુનિષા શર્મા (Tunisha Sharma)ના સુસાઇડ દ્વારા મોતની દરેક તરફ ચર્ચા થઇ રહી છે. શનિવારે 20 વર્ષીય ટીવી એક્ટ્રેસે ટીવી સીરિયલના સેટ પર ખુદને ફાંસીના ફંદા પર લટકાવી દીધી હતી. આ વચ્ચે દરેક કોઇ તુનિષા શર્માના પોસ્ટ મૉર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહ્યુ હતુ. આ વચ્ચે તુનિષાના પોસ્ટ મૉર્ટમ રિપોર્ટમાં કેટલાક મહત્વના સવાલ પરથી પરદો ઉઠી ગયો છે. મહત્વપૂર્ણ છે કે આ ઘટનાને લઇને પોલીસે તુનિષા શર્માના એક્સ બૉયફ્રેન્ડ શીજાન મોહમ્મદ ખાનની અટકાયત કરી છે.
શું તુનિષા શર્મા પ્રેગનન્ટ હતી?
બે દિવસથી તુનિષા શર્માને લઇને કોઇને કોઇ અપડેટ આવી રહ્યુ છે. તુનિષા શર્માના આત્મહત્યાના સમાચાર સામે આવ્યા બાદ આ અફવા ફેલાઇ કે ટીવી એક્ટ્રેસ માતા બનવાની હતી. એવામાં તુનિષા શર્માના પોસ્ટ મૉર્ટમ રિપોર્ટમાં આ અફવાનું ખંડન કરવામાં આવ્યુ છે. પોસ્ટ મૉર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે તુનિષા શર્મા પ્રેગનન્ટ નહતી. ના તો તુનિષા શર્માના શરીર પર કોઇ રીતની ઇજાના નિશાન મળ્યા નથી.
એક્ટ્રેસનું મોત શ્વાસ રૂધાવા (ફાંસી લાગવા પર) થયુ છે. આ પોસ્ટ મૉર્ટમ રિપોર્ટમાં આ મહત્વના સવાલ પરથી પણ પરદો ઉઠી ગયો છે જેમાં કહેવામાં આવ્યુ કે તુનિષા શર્માનું મોત હત્યા નહી પણ આત્મહત્યા હતી. મહત્વપૂર્ણ છે કે તુનિષા શર્માના નિધન બાદ 25 ડિસેમ્બરે 1.30 વાગ્યે મુંબઇની જેજે હૉસ્પિટલમાં તુનિષા શર્માનું પોસ્ટ મૉર્ટમ થયુ હતુ. આ દરમિયાન 4-5 ડૉક્ટર પણ હાજર રહ્યા હતા અને પોસ્ટ મૉર્ટમની વીડિય ગ્રાફી પણ કરવામા આવી હતી.
તુનિષા શર્માના સુસાઇડ કેસને લઇને વાલીવ પોલીસ સ્ટેશનમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવી હતી. આ દરમિયાન એસીપી ચંદ્રકાંત જાધવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ- પોસ્ટ મોર્ટમમાં ડેથ ડ્યૂ ટૂ હૈગિંગ (ફાંસી લગાવી)ને સ્પષ્ટ છે. લવ જેહાદ જેવી કોઇ વાત સામે આવી નથી. જરૂર પડી તો ક્રાઇમ સીનને રી ક્રિએટ કરવામાં આવશે. જૂન 2022થી આ સીરિયલનું શૂટિંગ ચાલતુ હતુ. શીજાન અને તુનિષા સારા મિત્ર હતા. બ્રેકઅપ થઇ ગયુ હતુ. બ્રેકઅપ થયા બાદ તુનિષાએ તણાવમાં આત્મહત્યા કરી હતી. પોલીસે શીજાન માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે પોલીસને 4 દિવસના રિમાન્ડ મળ્યા છે.
Advertisement