નવી દિલ્હી: પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે જય શાહના નિવેદન પર પોતાનું મૌન તોડ્યું છે. પાકિસ્તાની બોર્ડે મીડિયા રિલીઝમાં વાત રાખી છે. મંગળવારે એશિયન ક્રિકેટ પરિષદના અધ્યક્ષ જય શાહના નિવેદન પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નિવેદન રજૂ કર્યું છે. પાકિસ્તાની બોર્ડે મીડિયા રિલીઝમાં પોતાવી વાત રજૂ કરી છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે પીસીબીએ એસીસી અધ્યક્, જય શાહ દ્વારા આગામી વર્ષના એશિયા કપને તટસ્થ સ્થાન પર સ્થળાતર કરવાના સંબંધમાં આપેલા નિવેદનથી નિરાશા થઈ છે અને આશ્ચર્ય પણ થયું છે. બીસીસઆઈ સચિવ દ્વારા આપેલા નિવેદન એશિયન ક્રિકેટ પરિષદ અથવા પાકિસ્તાન બોર્ડ સાથે કોઈપણ ચર્ચા અથવા પરામર્શ વગર જ આપવામાં આવ્યું છે. આ અંગે કોઈપણ રીતની ચર્ચા અમારા સાથે થઈ નહતી.
Advertisement
Advertisement
પાકિસ્તાની બોર્ડે પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું છે કે, આ નિવેદનોનો સમગ્ર પ્રભાવ એશિયન અને આંતરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાયોને વિભાજિત કરી શકે છે. આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2023 માટે પાકિસ્તાનની ટીમનું ભારત જવા અને 2024-31 સર્કિલમાં ભારતમાં ભવિષ્યના આઈસીસી આયોજનોને પ્રભાવિત કરી શકે છે.
પીસીબીએ જણાવ્યું કે, અત્યાર સુધી બોર્ડને એસીસીસ અધ્યક્ષના નિવેદન પર એસીસી તરફથી કોઈ સત્તાવાદ સ્પષ્ટીકરણ પ્રાપ્ત થયું નથી. એવામાં પીસીબીએ હવે એશિયન ક્રિકેટ પરિષદને આ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબત પર ચર્ચા કરવા માટે ઇમરજન્સી બેઠક બોલાવવાની અપીલ કરી છે.
જણાવી દઈએ કે, બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય બેઠક (એજીએમ) પછી અનેક ક્રિકેટ વેબસાઈટે શાહના હવાલાથી કહ્યું, “અમે નિર્ણય કર્યો છે કે, અમે તટસ્થ સ્થાન પર રમીશું. આના પહેલા પણ એશિયા કપનું આયોજન તટસ્થ સ્થળ પર પહોંચી ચૂક્યું છે. મેજબાન શ્રીલંકાએ આર્થિક સંકટ વચ્ચે એશિયા કપ 2022ની મેજબાની કરવામાં અસમર્થતતા વ્યક્ત કરી હતી, તે પછી સંયુક્ત અરબ અમીરાતમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાનની ટીમો બંને દેશો વચ્ચે રાજકીય તણાવ માટે માત્ર એશિયા કપ અને વૈશ્વિક આયોજનોમાં એક-બીજા સામે રમે છે.”
Advertisement