Jioએ પોતાની 5G સર્વિસનો વિસ્તાર કરતા રાજસ્થાનના રાજસમંદ અને ચેન્નાઇમાં પોતાની સર્વિસ લૉન્ચ કરી છે. જિયોના ચેરમેન આકાશ અંબાણીએ નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરથી 5G સર્વિસ અને Jio True 5G બેસ્ડ Wi-Fi સર્વિસ લૉન્ચ કરી છે. આ સાથે જ Jio 5G સર્વિસ કુલ 6 શહેરોમાં શરૂ થઇ ગઇ છે.
Advertisement
Advertisement
આ પહેલા જિયોએ દિલ્હી, મુંબઇ, કોલકાતા અને વારાણસીમાં પોતાની 5G સર્વિસની શરૂઆત કરી છે. હવે Jio True 5G સર્વિસ 6 શહેરોમાં ઉપલબ્ધ છે. જિયો એક્ઝીક્યૂટિવે પહેલા જ તેના વિશે જાણકારી આપી છે. આકાશ અંબાણીએ નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં Jio True 5G અને Jio 5G પાવર્ડ Wi-fi સર્વિસ લૉન્ચ કરી છે. આ શહેરોમાં રહેતા યૂઝર્સને પણ જિયોની વેલકમ ઓફરનો લાભ મળશે. જિયોની 5G સર્વિસ આખા શહેરમાં ઉપલબ્ધ નથી. સર્વિસનો વિસ્તાર તબક્કાવાર થશે.
કેટલાક દિવસ પહેલા મુકેશ અંબાણી મંદિરમાં ગયા હતા
કેટલાક દિવસ પહેલા RIL ચેરમેન મુકેશ અંબાણી પણ શ્રીનાથજી મંદિર દર્શન માટે ગયા હતા, ત્યારે તેમણે રાજ્યમાં 5G સર્વિસ લૉન્ચ કરવાનો દાવો કર્યો હતો. વર્ષ 2015માં મુકેશ અંબાણીએ JioC 4G લૉન્ચ પહેલા શ્રીનાથજી મંદિર દર્શન માટે ગયા હતા.
ભારતમાં 5G સર્વિસની શરૂઆત ઓક્ટોબરમાં થઇ છે. જિયો અને એરટેલ બન્નેએ પોતાની 5G સર્વિસ ભારતમાં લૉન્ચ કરી છે. Jio True 5G સર્વિસ હવે દિલ્હી,મુંબઇ, કોલકાતા અને વારાણસી પછી ચેન્નાઇ અને રાજસ્થાનના રાજસમંદમાં લૉન્ચ કરી છે. 5G નેટવર્ક પર યૂઝર્સ 1Gbps સુધીની સ્પીડ એક્સપીરિયન્સ કરી શકે છે.
જિયો આપી રહ્યુ છે વેલકમ ઓફર
એરટેલે 8 શહેરમાં પોતાની સર્વિસ શરૂ કરી છે. જોકે, આ સર્વિસ આખા શહેરમાં હજુ નથી મળી રહી. કેટલાક સ્પોટ પર જ તેને લાઇવ કરવામાં આવી છે. જો તમે આ શહેરમાં રહો છો અને તમારી પાસે 5G સ્માર્ટફોન છે તો શક્ય છે કે તમે 5G સર્વિસનો અનુભવ લઇ શકો છો.
Advertisement