શ્રીમંતોના શોખ તમને પાણી માટે તડપાવી શકે છે. તાજેતરમાં આ અંગે એક અભ્યાસ સામે આવ્યો છે. આમાં એક મહત્વના પાસાંને ઉજાગર કરવામાં આવ્યો છે. અભ્યાસ કહે છે કે ગરીબ લોકો મોટાભાગે પાયાની જરુરિયાતો માટે પાણીનો વપરાશ કરતા હોય છે, ઉદાહરણ તરીકે તેનો ઉપયોગ પીવા અથવા ધોવા જેવા કામોમાં થાય છે. તેનાથી વિપરીત શ્રીમંત લોકો તેમના અંગત શોખ અને આનંદ માટે વધુ પાણીનો ઉપયોગ કરે છે.
સ્વીમિંગ પુલમાં સ્નાન કરવું, બગીચામાં પાણી આપવું, કાર ધોવાનો સમાવેશ થાય છે. શહેરોમાં પાણીની અછતનું મુખ્ય કારણ શ્રીમંતોની જીવનશૈલી છે. આ અભ્યાસ નેચર સસ્ટેનેબિલિટી જર્નલમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ સામાજિક અસમાનતાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. પાણીની અછત જેવા મુદ્દાઓ પર તેની અસરનો પણ અભ્યાસ કરે છે.
એવું પણ કહેવાય છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે. જે રીતે શહેરોમાં પાણી લડાઈ વધી રહી છે. જો આ આગાહી વાસ્તવિકતામાં ફેરવાય તો નવાઈ નહીં.
શ્રીમંતો વ્યક્તિતગત જરુરિયાતો પૂરી કરવા પાણી વાપરે છે
અધ્યયનના તારણો સૂક્ષ્મ છે. એવું જાણવા મળ્યું હતું કે શ્રીમંત લોકો વ્યક્તિગત જરુરિયાતો પૂરી કરવા માટે વધુ પાણી વાપરે છે. આ વસ્તુઓણાં સ્વિમિંગ પૂલને પાણીથી ભરવા, બગીચામાં પાણી આપવું અથવા કાર ધોવાનો સમાવેશ થાય છે. આ અભ્યાસ કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકા પર કેન્દ્રિત છે. અહીં શહેરી જળ સંકટનો અર્થ ખૂબ જ ગંભીર છે. આનો અર્થ એ થયો કે ઘણા લોકો નળ કે શૌચાલય વિના જીવી રહ્યા છે. તેઓ પીવા અને સફાઈ માટે મર્યાદિત પાણીનો ઉપયોગ કરે છે.
અમીરોની લાઈફસ્ટાઈલની કિંમત ગરીબો ચૂકવે છે
અભ્યાસ મુજબ અમીર લોકો પોતાના શોખ પૂરાં કરવા માટે વધુ પાણી વાપરે છે. અભ્યાસના સહ લેખક પ્રો.હેન્ના ક્લોકે યુનિવર્સિટી રીડિંગના હાઈડ્રોલોજિસ્ટે જણાવ્યું કે, આબોહવા પરિવર્તન અને વસ્તી વૃદ્ધિનો અર્થ છે કે મોટા શહેરોમાં પાણી વધુ મૂલ્યવાન બની રહ્યું છે. પરંતુ અમે બતાવ્યું છે કે ગરીબોને તેમની રોજિંદી જરુરિયાતો માટે પાણી પૂરું પાડવામાં સામાજિક અસમાનતા સૌથી મોટી સમસ્યા છે.
પાણીની અછતથી શહેરોનું જીવન બદલાઈ ગયું છે
પ્રો.ક્લોક અનુસાર છેલ્લા 20 વર્ષોમાં વિશ્વના 80થી વધુ મોટા શહેરો પાણીની અછતથી પ્રતિકૂળ અસરગ્રસ્ત થયા છે. તેમાં લંડન, મિયામી, બાર્સેલોના, બેઈજિંગ, ટોક્યો, મેલબોર્ન, ઈસ્તંબુલ, કૈરો, મોસ્કો, ચેન્નાઈ, જકાર્તા, સિડની, સાઓ પાઉલો, મેક્સિકો સિટી અને રોમનો સમાવેશ થાય છે. અહીં પાણીની અછતથી લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે.
સંશોધકોના મતે કેપ ટાઉન તેની ભારે અસામનતા અને અત્યંત અલગ સમાજને કારણે પસંદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાની રાજધાની 2015થી 2017 દરમિયાન અભૂતપૂર્વ જળ સંકટ “ડે ઝીરો”ના કારણે વિનાશક દુષ્કાળનો ભોગ બની હતી. સંશોધકોએ જણાવ્યું કે, કેપટાઉનને અસર કરતી સમસ્યાઓ અન્ય ઘણા શહેરો માટે સામાન્ય છે.
Advertisement