નવી દિલ્હી: મની લૉન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને વચગાળાના જામીન મળ્યા છે, તેને 50 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જેકલીનને ચાર્જશીટને કોપી સોપવામાં આવી છે. પિંકી ઇરાની પણ કોર્ટમાં જજ સામે હાજર થઇ હતી. જેકલીન કેસમાં પટિયાલા હાઉસ કોર્ટ 22 ઓક્ટોબરે આગામી સુનાવણી કરશે. મહત્વપૂર્ણ છે કે સુકેશ ચંદ્રશેખર મની લૉન્ડ્રિંગ કેસમાં ઇડીએ તેના વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીએ પોતાની ચાર્જશીટમાં તેને આરોપી બતાવી છે. કોર્ટે ચાર્જશીટ પર સંજ્ઞાન લઇને જેકલીનને 26 સપ્ટેમ્બરે હાજર થવા કહ્યુ હતુ.
Advertisement
Advertisement
આ પહેલા અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા 19 સપ્ટેમ્બરે પૂછપરછ કરી હતી. સુકેશ ચંદ્રશેખર ઠગ મામલે અભિનેત્રીને આર્થિક ગુના શાખાએ સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવી હતી. આ પહેલા જેકલીન ફર્નાન્ડિસને આર્થિક ગુના શાખાએ સાડા આઠ કલાક પૂછપરછ કરી હતી. સૂત્રો અનુસાર આ દરમિયાન જેકલીન અને પિંકી ઇરાનીને આમને-સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. જેકલીન અને પિંકી ઇરાનીમાં ઝઘડો પણ થયો હતો અને બન્નેએ એક બીજાને અપશબ્દ પણ કહ્યા હતા.
સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના ઠગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીની પણ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ પૂછપરછ કરી હતી. પોલીસ અનુસાર, પિંકી ઇરાનીએ જ સુકેશ ચંદ્રશેખરને જેકલીન સાથે મુલાકાત કરાવી હતી. પિંકી ઇરાનીનું કહેવુ હતુ કે જેકલીનને ખબર હતી કે સુકેશ ચંદ્રશેખર 200 કરોડ રૂપિયાના ઠગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તે બાદ પણ જેકલીને તેની પાસેથી ગિફ્ટ લીધી હતી. જોકે, જેકલીને કહ્યુ કે પિંકી ખોટુ બોલી રહી છે અને તેને કોઇ જાણકારી નહતી.
આ પહેલા EOWએ જેકલીન ફર્નાન્ડિસના મેનેજર પ્રશાંત પાસે એક ડુકાટી બાઇક રિકવર કરી હતી. આ બાઇકની કિંમત આઠ લાખ રૂપિયા છે. આ બાઇક સુકેશે ઠગેલા પૈસાથી પ્રશાંતને અપાવી હતી. ફેબ્રુઆરી 2021માં આ બાઇક સુકેશે જેકલીનના મેનેજરને આપી હતી.
Advertisement