જો તમારી પાસે જીવન વીમા પોલિસી (લાઇફ ઇંશ્ટોરન્સ પોલિસી) છે તો તમે તેની પર લોન લઇ શકો છો. પોલિસીના બદલે આસાનીથી અને ઓછા વ્યાજ પર લોન મળે છે. આ લોન તમે બેન્ક અથવા નૉન-બેન્કિંગ સંસ્થા (NBFC) દ્વારા લઇ શકો છો. અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.
Advertisement
Advertisement
શું છે સરેન્ડર વેલ્યૂ?
લાઇફ ઇંશ્યોરન્સ મામલે આખા સમય સુધી ચલાવ્યા પહેલા પોલિસી સરેન્ડર કરવા પર તમને પ્રીમિયમ તરીકે ચુકવવામાં આવેલી રકમનો કેટલોક ભાગ પરત મળી જાય છે જેમાં ચાર્જ કાપવામાં આવે છે. આ રકમ સરેન્ડર વેલ્યૂ ગણાય છે.
શું તમામ લાઇફ ઇંશ્યોરન્સ પોલિસી પર સરેન્ડર વેલ્યૂ મળે છે?
માત્ર તે પોલિસીમાં જ સરેન્ડર વેલ્યૂ પરત મળે છે જેમાં વીમા સાથે રોકાણનો પણ ભાગ હોય છે, માટે શુદ્ધ ટર્મ પ્લાનમાં કોઇ સરેન્ડર વેલ્યૂ નહી હોય. બીજી તરફ એંડોમેન્ટ, મની બૈક અને યૂલિપ જેવા પારંપરિક પ્લાનમાં સરેન્ડર વેલ્યૂ હોય છે. આ સિવાય તમને પોતાના પૈસાનો એક ભાગ ત્યારે મળશે જ્યારે તમે બે વર્ષ માટે સતત પ્રીમિયમની ચુકવણી કરી હોય. કેટલીક કંપનીમાં આ લિમિટ 3 વર્ષની પણ છે.
કેટલુ વ્યાજ આપવુ પડે છે?
વ્યાજ દર પ્રીમિયમના એમાઉન્ટ અને ચુકવણી કરવામાં આવેલા પ્રીમિયમની સંખ્યા પર નિર્ભર કરે છે. પ્રીમિયમ અને પ્રીમિયમની સંખ્યા જેટલી વધારે હશે, વ્યાજ દર એટલો ઓછો હશે. લાઇફ ઇંશ્યોરન્સ પર લોનનો વ્યાજ દર 10-12 % વચ્ચે હોય છે.
આ છે જરૂરી ડૉક્યૂમેન્ટ
લાઇફ ઇંશ્યોરન્સ પોલિસી પર લોન માટે અરજી ફોર્મની સાથે તમારે જીવન વીમા પોલીસીના તમામ જરૂરી ઓરિજનલ ડૉક્યુમેન્ટ જમા કરાવવા પડશે. લોનની રકમ મેળવવા માટે એક કેન્સલ ચેક અરજી ફોર્મ સાથે લગાવવુ પડશે. વીમા પોલિસીના બદલે લોન લેવા પર કરાર પત્ર પર સાઇન કરવુ જરૂરી હોય છે.
Advertisement