આઇપીએલ ૨૦૨૩ની સિઝન અડધી થઇ ચૂકી છે. ૨૮મેના રોજ આઇપીએલની ફાઇનલ રમાશે. આગામી ૭ જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ શરૃ થશે. આ માટે ઇન્ડિયા ટીમના કોચ રાહુલ દ્રવિડ કોચિંગ સ્ટાફ સાથે ૨૩ કે ૨૪ મેના રોજ લંડન જવા માટે રવાના થશે. રાહુલ દ્રવિડની સાથે પ્લેઓફમાંથી બહાર થનાર ટીમના કેટલાક ખેલાડીઓ અલગ-અલગ ગૂ્રપમાં લંડન જશે. પહેલી જૂનથી લંડનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર ખેલાડીઓનો એક કેમ્પ યોજાશે, જેમાં ટીમના તમામ ખેલાડીઓ તેમાં જોડાશે. ચેતેશ્વર પુજારા હાલ લંડનમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી રહ્યો છે તો તે ત્યાંથી ટીમ સાથે જોડાશે. હાલ પુજારા ફોર્મમાં હોવાથી ભારત માટે એક સારા સમાચાર છે. આ બધાની વચ્ચે પસંદગી સમિતિ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમની જાહેરાત કરશે . ટીમના મોટાભાગના સભ્યો તો યથાવત રહેશે પણ ઇજાગ્રસ્ત શ્રેયસ અય્યરના સ્થાને નવા ખેલાડીને સ્થાન મળે તેવી સંભાવના છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રહાણે ફરી ટીમમાં જોવા મળી શકવાની શક્યતા સેવાઇ રહી છે.
Advertisement
Advertisement
Advertisement