સુપ્રિમ કોર્ટની આકરી ટીપ્પણી પછી હવે દિલ્હી પોલીસ હરકતમાં આવી છે અને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે જાતીય સતામણીના આરોપમાં એફઆઈઆર દાખલ કરશે.
Advertisement
Advertisement
બ્રિજભૂષણ સિંહ સામે સાત મહિલા કૂસ્તીબાજોની જાતિય સતામણીનો આરોપ છે અને એ 21મી એપ્રિલના રોજ આ સાત મહિલા ખેલાડીઓએ બ્રિજભૂષણ વિરુદ્ધ ફરીયાદ કરી હતી. આજે સુપ્રિમ કોર્ટે મહિલા કુસ્તીબાજોને સુરક્ષા પ્રદાન કરવા માટે દિલ્હી પોલીસને સૂચન કર્યું હતું.
આજે સુનાવણી દરમિયાન કુસ્તીબાજોના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં જણાવ્યું હતું કે મહિલા કુસ્તીબાજોને સુરક્ષા આપવી જોઈએ અને કોઈ નિવૃત ન્યાયાધીશ આની તપાસ કરે અને દિલ્હી પોલીસ આમાં વધુ તપાસ કરે.
WFI અધ્યક્ષ બ્રિજભૂષણ સામે કાર્યવાહીની માંગ સાથે દેશભરના કુસ્તીબાજો છેલ્લા 6 દિવસથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ,ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, અભિનેતા સોનુ સૂદ અને અભિનેત્રી ઉર્મિલા માતોંડકર પણ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવ્યા હતા અને તેમણે આ શોષણ વિરુદ્ધ પોતાના નિવેદનો આપ્યા હતા.
હરિયાણા રેસલિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરી રાકેશ તરફથી સૌથી મોટું નિવેદન આવ્યું હતું કે વિનેશ અને સાક્ષી સાથે કંઈ ખોટું થયું નથી અને ફોગાટ પરિવાર રેસલિંગ ફેડરેશન પર કબજો કરવા માગે છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર કુસ્તીબાજોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. એમ પણ કહ્યું- બજરંગ પુનિયા સરકારી અધિકારી છે. તેઓ પરવાનગી વિના ધરણાં પર બેસી શકે નહીં.
આ અંગે એથ્લેટ્સ નિરજ ચોપરાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે આપણા ખેલાડીઓ રસ્તા પર બેઠા છે, એ જોઈને દુઃખ થાય છે. તેમણે વિશ્વમાં રમીને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે, દેશ માટે સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે અમે દરેકનું મહત્ત્વ અને અખંડિતતાના રક્ષણ માટે જવાબદાર છીએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે. આપણે આ મામલે કોઈપણ પક્ષપાત અને પારદર્શિતા વગર વ્યવહાર કરવો જોઈએ. તમામ ખેલાડીઓને ન્યાય મળવો જોઈએ.
Advertisement