નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા રેસલર્સની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતનું પ્રતિનિધિત્વ કરનારા કુસ્તીબાજોના આરોપો ખૂબ જ ગંભીર છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ સરન સામે એફઆઈઆર નોંધવાની માગણી કરતી સાત કુસ્તી કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
કુસ્તીબાજોનો આરોપ છે કે બીજેપી સાંસદ બ્રિજભૂષણ સરને એક ટીનેજર સહિત મહિલા રેસલર્સનું યૌન શોષણ કર્યું હતું.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દિલ્હી પોલીસને નોટિસ પાઠવતા કહ્યું કે આ અદાલતે આ મામલે વિચાર કરવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે તેના નિર્દેશમાં કહ્યું, “અરજીકર્તાઓની ઓળખમાં ફેરફાર કરવાની જરૂર છે. ફક્ત સુધારેલ ભાગ જ જાહેર કરવો જોઈએ. દિલ્હી પોલીસને જારી કરાયેલી નોટિસ પર શુક્રવાર સુધીમાં જવાબ પાછો આવવો જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકના નામ સહિત ટોચના ભારતીય કુસ્તીબાજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે આ અરજી સાત કુસ્તીબાજોએ મળીને દાખલ કરી છે. કુસ્તીબાજો વતી સિબ્બલ પોતે કોર્ટમાં હાજર થયા હતા.
તેમણે કહ્યું કે કુસ્તીબાજો હજુ પણ ધરણા પર બેઠા છે.
સિબ્બલે સુપ્રીમ કોર્ટને કહ્યું, “યૌન ઉત્પીડનના આરોપો હોવા છતાં હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. યુવતી ત્યારે 16 વર્ષની હતી અને તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તેમણે એવી દલીલ પણ કરી હતી કે આવા ગુનાઓની તપાસ ન કરવા બદલ પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
Advertisement
Advertisement
Advertisement