બ્રિજભૂષણ શરણ સિંહે જાતીય સતામણીના આરોપમાં નિર્દોષ હોવાનો દાવો કર્યા પછી વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ બુધવારે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખના સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળના લાઇ ડિટેક્ટર નાર્કો ટેસ્ટની માંગ કરી હતી.
Advertisement
Advertisement
ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા વિનેશ ફોગાટ સહિત દેશના કેટલાક ટોચના કુસ્તીબાજો એક સગીર સહિત સાત મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણને લઈને છેલ્લા પખવાડિયાથી જંતર-મંતર પર ધરણા કરી રહ્યા છે. તેમના દ્વારા બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે.
2016ની રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “જે લોકો WFI ચીફની તરફેણમાં બોલી રહ્યા છે અને કહે છે કે અમે જૂઠું બોલીએ છીએ પરંતુ હું કહું છું કે બ્રિજ ભૂષણને સુપ્રીમ કોર્ટ દ્વારા મોનિટર કરાયેલા નાર્કો ટેસ્ટમાંથી પસાર થવું જોઈએ. તે ઉપરાંત તેમણે કહ્યું કે, સાત મહિલા પહેલવાનોને પણ (જેમણે કથિત જાતીય સતામણીના આરોપો મૂક્યા હતા) નાર્કે ટેસ્ટ આપવો જોઈએ અને જે કોઈ દોષિત ઠરે તેને ફાંસી પર લટકાવી દેવો જોઈએ.
જોકે, કુસ્તીબાજોએ સ્પષ્ટતા કરી ન હતી કે તેઓ નાર્કો ટેસ્ટ માટે કેવી રીતે દબાણ કરશે કારણ કે કાયદા મુજબ આરોપીની સંમતિ ફરજિયાત છે. આ પછી જ તપાસ એજન્સી નાર્કો ટેસ્ટ કરાવી શકશે. 28 એપ્રિલે દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધ્યાના એક દિવસ પછી WFI વડાએ નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર હતા. સાક્ષીએ દેશની મહિલાઓને અપીલ કરી કે તેઓ આગળ આવે અને કુસ્તીબાજોને સમર્થન આપે જેમ કે તેઓએ 2012 માં નિર્ભયા કેસ દરમિયાન કર્યું હતું.
સાક્ષીએ કહ્યું, “હું દેશની મહિલાઓને વિનંતી કરું છું કે તેઓ નિર્ભયા કેસની જેમ અમને સમર્થન આપે. અમારી સાથે એકતા દર્શાવો કારણ કે અમે પણ મહિલાઓના હેતુ માટે લડી રહ્યા છીએ. જો આપણે આ લડાઈ જીતીશું તો મજબૂત સંદેશ આપીશું પરંતુ જો હારીશું તો 50 વર્ષ પાછળ ધકેલાઇ જઇશું.
Advertisement