ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે રમી રહ્યો નથી. મુંબઈ ઈન્ડિયન્સ તેને ખૂબ મિસ કરી રહી છે. કારણ કે આ સિઝનમાં ટીમની સૌથી નબળી કડી બોલિંગ બની રહી છે.
બુમરાહ છેલ્લા કેટલાક સમયથી મુંબઈનો નંબર વન બોલર છે. પોતાની ઘાતક બોલિંગ વડે બુમરાહે હારી ગયેલી મેચ પાછી જીતાડીને ટીમને ઘણી વખત જીત અપાવી છે.
તેની શાનદાર બોલિંગના કારણે તે ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર પણ બની રહ્યો છે.
જોકે ઈજાના કારણે તે છેલ્લા એક વર્ષમાં બહુ ઓછું ક્રિકેટ રમી શક્યો હતો. જોકે એવી આશા સેવાઈ રહી છે કે તે આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા ફિટ થઈ જશે, પરંતુ તે પહેલા તેનો એક વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે તેને કેવી રીતે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી. આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર યુવરાજ સિંઘ સાથે લાઈવ ચેટનો છે.
બુમરાહે આ વિડિયોમાં કહ્યું, લોકોને એવું લાગે છે, ઘણા લોકો મને કહે છે કે હું IPLમાંથી ટીમ ઈન્ડિયામાં આવ્યો છું પરંતુ આ એક મિથ છે. હું 2013માં IPLમાં આવ્યો હતો. આ પછી ત્રણ વર્ષ સુધી મને આઈપીએલમાં ક્યારેય બે, ક્યારેક ચાર અને 10 મેચ રમવાની તક મળી.
તેણે કહ્યું કે, હું આઈપીએલમાં સતત રમી રહ્યો ન હતો, તો તેના આધારે હું ટીમ ઈન્ડિયામાં કેવી રીતે આવ્યો. મેં વિજય હજારેમાં પરફોર્મ કર્યું, રણજી ટ્રોફીમાં વિકેટ લીધી. જે બાદ મને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. 2016માં ટીમ ઈન્ડિયા સાથે જોડાયા બાદ મને સતત આઈપીએલમાં રમવાની તક મળી છે. તો પછી હું કેવી રીતે સ્વીકારી શકું, આધાર તો ફક્ત તમારી રણજી ટ્રોફી અને સ્થાનિક ટુર્નામેન્ટ છે.
જસપ્રીત બુમરાહે તેના શાર્ટ યોર્કર વડે મુંબઈ ઈન્ડિયન્સને ઘણી મેચોમાં જીત અપાવી હતી. તેણે આ ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 120 મેચ રમી છે, જેમાં તેણે 145 વિકેટ લીધી છે. આઈપીએલમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો તેણે 10 રન આપીને 5 વિકેટ ઝડપી છે. જોકે આઈપીએલની 16મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને તેની અને તેની બોલિંગની ખોટ પડી રહી છે.
Advertisement