વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. બંને ફોર્મેટમાં માત્ર રોહિત શર્મા જ કેપ્ટનશિપ કરશે. અજિંક્ય રહાણે ટેસ્ટમાં અને હાર્દિક પંડ્યા વનડેમાં વાઇસ કેપ્ટન તરીકે જોવા મળશે. ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા આવતા મહિનાથી વિન્ડીઝ પ્રવાસ પર જશે જ્યાં તે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમશે. વિન્ડીઝ પ્રવાસ ભારતના આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલની શરૂઆત પણ કરશે. આ સાથે ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપની તૈયારીઓને અમલમાં મૂકવાની પણ તક મળશે.
Advertisement
Advertisement
રહાણે ટેસ્ટમાં વાઈસ-કેપ્ટન એટલે કે રોહિતના ડેપ્યુટી બનવાની સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે તે હવે આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવા માટે દાવેદાર છે. પુજારાને તેના ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2019 થી, પૂજારાએ 35 ટેસ્ટ ઇનિંગ્સમાં 29.98ની સરેરાશથી 1769 રન બનાવ્યા છે. જેમાં એક સદીનો સમાવેશ થાય છે.
આ સિવાય ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ અને ઝડપી બોલર મુકેશ કુમારનો ટેસ્ટ ટીમમાં સંમાવેશ કરાયો છે તે પણ મહત્ત્વનું છે. કે એસ ભરત અને ઈશાન કિશન ટેસ્ટમાં ભારતના વિકેટકીપર હશે. મોહમ્મદ શમીને ટેસ્ટ અને વનડે બંને ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે. સ્પિન બોલિંગનો આધાર અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલ પર જ રહેશે. સાથે જ ફાસ્ટ બોલિંગની જવાબદારી શાર્દુલ, મુકેશ, સિરાજ, ઉનડકટ અને નવદીપ પર રહેશે.
ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.
Advertisement