ચેન્નાઈ: ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં બુધવારે ભારતે પાકિસ્તાનને 4-0 ગોલથી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું હતું. ભારત તરફથી પ્રથમ બે ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. આ પછી જુગરાજ અને આકાશદીપે એક-એક ગોલ કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી. આ મેચમાં હાર સાથે પાકિસ્તાનની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.
Advertisement
Advertisement
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-0ના અંતરથી હરાવ્યું હતું. આ સાથે આ ટુર્નામેન્ટમાં ભારતની જીતનો સિલસિલો જારી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ તેની તમામ પાંચ મેચ જીતી છે. ભારત ગ્રુપ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલમાં પણ ટોચ પર રહ્યું છે અને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે પાકિસ્તાનની ટીમ કરો યા મરો મેચમાં શરમજનક પરાજય સાથે ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ છે.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચ જીત્યા બાદ મીડિયા સાથે વાત કરતા ભારતીય હોકી પુરુષ ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે કહ્યું કે એકંદરે મેચ ઘણી સારી રહી અને ટીમે શાનદાર પ્રયાસો કર્યા. ભારતીય હોકી ખેલાડી મનપ્રીત સિંહે કહ્યું કે ટીમનો દેખાવ ઘણો સારો રહ્યો. તમામ ખેલાડીઓએ પોતાનું 100% યોગદાન આપ્યું. એશિયન ગેમ્સ માટે અમારી તૈયારીઓ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન હોકી ટીમના સહાયક કોચ સકલેન મુહમ્મદે કહ્યું કે મેચની શરૂઆત સારી રહી હતી. અમે એશિયન ગેમ્સમાં અમારી ભૂલોને દૂર કરીશું. ચેન્નાઈના દર્શકોએ ખૂબ જ સારો આવકાર આપ્યો અને મેચ જોવા આવવા બદલ હું તેમનો આભાર માનું છું.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં મલેશિયાનો સાઉથ કોરિયા સામે અને ભારતનો જાપાન સામે મુકાબલો થશે. આ સેમિફાઈનલ મેચો શુક્રવારે રમાશે.
Advertisement