આઇપીએલ ૨૦૨૩ની ૩૫મી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમ ખાતે રમાયેલી મેચને ગુજરાત ટાઇટન્સે ૫૫ રને જીતી લીધી હતી. મેચ જીત્યા પછી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ગુજરાતના કોચ આશિષ નહેરાના વખાણ કર્યા હતા.
Advertisement
Advertisement
મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નહેરા એટલા સક્રિયા જોવા મળ્યા હતા અને તેઓ પોતાની સીટ પર બેસવાની જગ્યાએ મેચ દરમિયાન હંમેશા ઊભા જ જોવા મળે છે અને ખેલાડીઓ સાથે સતત વાતચીત કરીને ગાઇડ કરતા જોવા મળે છે. અમારો ધ્યેય મેચમાં સ્થિતિ મજબૂત કરવાનો હોય છે.
કેમ કે ટી-૨૦ મેચ ખૂબ ફની ગેમ છે અને દરેક બોલ પર મેચમાં ઘણું બધું બદલાય જાય છે ત્યારે મેચમાં રણનીતિ બનાવવી પડે છે. કોચના પ્લાનિંગ મુજબ અમે એક જ દિશામાં ચાલીએ છીએે અને ૯૯ ટકા નિર્ણય એકબીજાને પૂછીને કરીએ છીએ જેથી મેચ જીતવામાં એકબીજાની મદદ મળી રહે છે.
૨૧ બોલમાં ૩ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી ૪૨ રન બનાવનાર અભિનવ મનોહરના વખાણ કરતા હાર્દિકે કહ્યું કે, આ બધુ સખત મહેનતનું પરિણામ છે તે દરરોજ નેટ પર બે કલાક બેટિંગ કરે છે. ગયા વર્ષે તેણે કરેલી ભૂલો અમે બતાવી હતી જેમાં આ વર્ષે ઘણો સુધારો છે.
Advertisement