અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નવ એપ્રિલે રમાયેલી આઇપીએલની મેચમાં કોલકતાના રિન્કુ સિંઘે ગુજરાતના બોલર યશ દયાલે નાંખેલી મેચની અંતિમ ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારતા ટીમને જીત અપાવી હતી. આ ઘટનાને ૧૫ દિવસથી પણ વધારે સમય થઇ ગયો છે છતાં ઉત્તર પ્રદેશનો ફાસ્ટ બોલર યશ દયાલ તેના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.
Advertisement
Advertisement
રિન્કુ સિંઘે ફટકારેલી સિક્સરોની તેના પર એટલી ઘેરી અસર થઇ હતી કે તે બીમાર થઇ ગયો હતો અને અત્યાર સુધીમાં તેનું સાતથી આઠ કિલોગ્રામ જેટલંુ વજન પણ ઉતરી ગયું છે તેમ ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડયાએ કહ્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સ સામેના વિજય બાદ હાર્દિક પંડયાએ યશ દયાલ અંગે કહ્યું કે, હજુ પણ તે મેદાનમાં ઉતરવાની સ્થિતિમાં નથી. મને લાગે છે કે, લાંબા સમય બાદ જ મેદાન પર જોવા મળશે. ગુજરાત ટાઇટન્સ ઘરઆંગણે સળંગ બે હાર પછી જીતની રાહ પર પાછું ફર્યું હતું.
એને તેમણે મુંબઇને હરાવ્યું હતું. યશ દયાલને આઘાત એટલો લાગ્યો કે, શરીરનું વજન પણ ઉતરી ગયું અને વાઇરલ ઇન્ફેક્શન પણ થઇ ગયું હતું.
Advertisement