છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ઘણી વાર જોયું છે કે આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન સોફ્ટ સિગ્નલોના કારણે ઘણા નિર્ણયો વિવાદિત થયા હતા. તેને જોતા હવે ICCએ એક મોટું પગલું ભર્યું છે. સોફ્ટ સિગ્નલોને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હંમેશ માટે દૂર કરવામાં આવી રહ્યા છે. આ નવા ફેરફારની શરૂઆત આવતા મહિને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચથી થશે.
Advertisement
Advertisement
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલથી નવા ફેરફારો શરૂ થશે
7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમશે. આ મેચ ઈંગ્લેન્ડના લંડનના ઓવલ મેદાનમાં રમાશે. બંને ટીમોને નવા ફેરફારો વિશે જાણ કરવામાં આવી છે. ક્રિકબઝના સમાચાર અનુસાર, આ ફેરફારમાં ICC ક્રિકેટ સમિતિના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની મહત્વની ભૂમિકા છે. બીસીસીઆઈના સચિવ જય શાહે પણ આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો હતો.
સોફ્ટ સિગ્નલ શું છે
આઈસીસીના નિયમો અનુસાર, સોફ્ટ સિગ્નલ એ એવી સ્થિતિ છે કે જેમાં નોન-સ્ટ્રાઈકરના છેડે ઊભેલા અમ્પાયર બીજા ઓન-ફિલ્ડ અમ્પાયર સાથે વાત કરે છે અને ત્રીજા અમ્પાયરને રિફર કરતા પહેલા પોતાનો નિર્ણય આપે છે. આ પછી જો થર્ડ અમ્પાયર કોઈ નિર્ણય પર પહોંચવામાં અસમર્થ હોય તો ફિલ્ડ અમ્પાયરના નિર્ણય ને માનવામાં આવે છે. જોકે ઘણી વખત ક્રિકેટરો આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
ઓછા પ્રકાશમાં રમાશે ટેસ્ટ મેચ
આ સિવાય ICCએ વધુ બે મોટા ફેરફાર કર્યા છે. સામાન્ય રીતે ઓછા પ્રકાશને કારણે ટેસ્ટ મેચોને રોકી દેવામાં આવે છે. જોકે, હવે આવું નહીં થાય. જો સમય પહેલાં કોઈ કારણસર રોશની ઓછી થઈ જાય તો ફ્લડ (દૂધીયા) લાઇટનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય એકમાત્ર મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવશે.
Advertisement