ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે જંતર-મંતર પર કુસ્તીબાજોના પ્રદર્શન પર કહ્યું છે કે હવે આ લડાઈ ખેલાડીઓના હાથમાંથી નીકળી ગઈ છે અને રાજકીય લડાઈ બની ગઈ છે.
Advertisement
Advertisement
તેમણે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, “હવે રાજકીય પક્ષોએ તેમાં પ્રવેશ કર્યો છે, જેના લક્ષણો હું પહેલા દિવસથી જોઈ શકતો હતો. હું જોઈ શકતો હતો કે આ પોતે ખેલાડીઓનો અવાજ નથી, આ અવાજ બનાવવામાં આવ્યો છે અને શીખવવામાં આવ્યો છે.
‘બધી છોકરીઓ એક જ અખાડાની’
તેમણે દાવો કર્યો છે કે આક્ષેપો કરનાર તમામ મહિલા કુસ્તીબાજો હરિયાણાના એક જ અખાડાની છે, જેને કોંગ્રેસના નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર હુડ્ડાનું સમર્થન છે.
પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને સમર્થન આપવા માટે જંતર-મંતર પહોંચ્યા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે, “પ્રિયંકા ગાંધીને હકીકતની ખબર નહોતી. દીપેન્દ્ર હુડ્ડા જેઓ શરૂઆતથી આ સ્ટોરીના વાર્તાકાર હતા, તેમને ફોસલાવીને લઇ આવ્યા.
તેમણે કહ્યું, “જ્યારે તપાસનો રિપોર્ટ આવશે, ત્યારે પ્રિયંકા ગાંધીને લાગશે કે તેમણે ત્યાં જંતર-મંતર પર જવું જોઈતું ન હતું.”
અખિલેશ યાદવનો માન્યો આભાર
તેમણે કહ્યું, “હું સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો આભાર માનું છું. હું તેને બાળપણથી ઓળખું છું. તેઓ મને ઓળખે છે. હું તેના કરતા મોટો છું. અમારી રાજનીતિમાં તેમની અલગતા છે. તે એક અલગ વાત છે. પરંતુ અખિલેશ યાદવ સત્ય જાણે છે.
સિંહે કહ્યું, “સત્ય જાણીતું છે કારણ કે ઉત્તર પ્રદેશમાં 10,000 બાળકો કુસ્તી કરે છે, તો 8,000 બાળકો યાદવ સમુદાયમાંથી આવે છે. તેમાંથી મોટાભાગના સમાજવાદી પરિવાર સાથે સંબંધિત છે. તેથી જ તેઓ સત્ય જાણે છે.”
બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, “કોંગ્રેસના નેતાઓ પણ સત્ય જાણે છે. અન્ય પક્ષોના નેતાઓ પણ સત્ય જાણે છે કે નેતાજી કંઈ પણ કરી શકે છે, પરંતુ તેઓ (જાતીય શોષણ) કરી શકતા નથી. હું ફરીથી આવા તમામ લોકોનો આભાર માનું છું, જેઓ સત્યનું સમર્થન કરી રહ્યા છે.
તેણે કહ્યું, “હરિયાણાના 90 ટકા ખેલાડીઓ અને વાલીઓ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં વિશ્વાસ રાખે છે. આ માત્ર થોડા પરિવારો છે. આ તમામ આરોપી યુવતીઓ એક જ અખાડાની છે.
તેમને કહ્યું, કાલે બજરંગ પુનિયાએ પ્રશ્ન ઉઠાવ્યા હતો કે મને બ્રિજભૂષણ સિંહને કેવી રીતે ખબર પડી કે બધી છોકરીઓ એક જ અખાડાની છે. પરંતુ મને જ નહીં આખી દુનિયાને ખબર છે કે બધી છોકરીઓ મહાદેવ રેસલિંગ એકેડમીની છે અને તેમનો કર્તા-ધર્તા, સંરક્ષણ બધુ જ દીપેન્દ્ર હુડ્ડા છે.
તેમના કહેવા પ્રમાણે, “જ્યારે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા યોગેશ્વર દત્તે બ્રિજભૂષણ શરણ સિંહને સમર્થન આપ્યું ત્યારે તેમણે કહ્યું કે જંતર-મંતર પર ન્યાય નથી મળતો. ન્યાય મેળવવા માટે પોલીસ-કોર્ટમાં જવું પડે છે, પરંતુ તે ત્યાં ગયા નથી અને અપશબ્દો બોલી રહ્યા છે. હવે તેઓ કોર્ટમાં ગયા છે અને કોર્ટ જે કહે તે અમે સ્વીકારીશું.
દત્તે કહ્યું હતું કે હું તપાસ સમિતિનો ભાગ છું, પરંતુ કોઈએ એફઆઈઆર નોંધી નથી અને અચાનક વિરોધ કરવો યોગ્ય નથી.
Advertisement