બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઇને ફાઇનલ ટીમ જાહેર કરવામાં આવી છે. આ ટીમમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી આઇપીએલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા અંજિક્યે રહાણેની વાપસી થઇ છે જ્યારે સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ નડકટે પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ૭ જૂને ધ ઓવલ ખાતે રમાશે. ૧૨ જૂનવે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ૨૦૨૧-૨૨ના સાઉથ આફ્રિકા પ્રવાસ પછી ખરાબ ફોર્મને લીધે અંજિક્યે રહાણાને ડ્રોપ કરવામાં આવ્યો હતો. બધા લોકો માનતા હતા કે, ઉંમરને લઇને અંજિક્યે રહાણ માટે કમબેક કરવું ઘણું મુશ્કેલ હતું. જો કે શ્રેયસ ઐયરને ઇજા થતા ટીમમાં મિડલ ઓર્ડરમાં સ્થાન જમાવી દીધું છે. રહાણેએ આઇપીએલ ૨૦૨૩ની ચાલુ સિઝનમનાં શાનદાર ફોર્મ દાખવતા કમબેક કર્યું છે. આ સિઝનની પાંચ મેચમાં ૫૨.૨૫ની એવરેજ અને ૧૯૯.૦૪ની સ્ટ્રાઇક રેટથી ૨૦૯ રન બનાવ્યા છે. ભારતની બેટિંગ લાઇનઅપ ઓન-પેપરપર બહુ જ મજબૂત લાગી રહી છે. શુભમન ગીલ અને કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગ કરશે તે ઓલમોસ્ટ નકકી જ છે. વનડાઉન ચેતેશ્વર પૂજારા અને ટૂ-ડાઉન વિરાટ કોહલી કરશે. પાંચમા અને છઠ્ઠા ક્રમે અંજિક્યે રહાણે, લોકેશ રાહુલ, અને કેએસ ભરતમાંથી કોઇ બે રમશે. ઉલ્લેખનીય છે કે, બોર્ડ ભરતના નામ આગળ જ વિકેટકીપર લખ્યું છે પણ રાહુલ પણ આ રોલ નિભાવી શકે છે.
Advertisement
Advertisement
Advertisement