ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં આઇસીસી વર્લ્ડકપનું આયોજન કરાયું છે. વર્લ્ડ કપમાં રમવાને લઇને અત્યાર સુધીમાં યજમાન ટીમ ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની મળીને ૮ ટીમોએ સુધી ક્વોલિફાય કર્યું છે. આઇસીસી વર્લ્ડકપમાં ૧૯૭૫ અને ૧૯૭૯ની વિશ્વ ચેમ્પિયન બનેલી ટીમ વેસ્ટ ઇન્ડિઝ આ વર્શષે પણ સીધા ક્વોલિફાઇ કરવામાં નિષ્ફળ રહી છે. ૧૯૯૬ની વિનર અને ચાર વારની ફાઇનાલિસ્ટ ટીમ શ્રીલંકા ક્વોલિફાય કરવામાં પણ નિફળ સાબિત થઇ છે. તાજેતરમાં આયર્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની વન ડે વરસાદને લીધે ધોવાઇ જતાં આર્યલેન્ડની ટુર્નામેન્ટ માટે સીધા ક્વોલિફાય થવાની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું. આવી સ્થિતિમાં ટેમ્બા બાવુમાની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાની ટીમને ટુર્નામેન્ટમાં સીધી એન્ટ્રી મળી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ સામે ઘરઆંગણે મળેલી જીતનો ફાયદો મળ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમે નેધરલેન્ડ સામેની સિરિઝમાં વર્લ્ડ કપની ટિકિટ મેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં વેસ્ટ ઇન્ડિઝને આઠમા સ્થાને ધકેલવામાં સફળ રહી હતી. આવી સ્થિતિમાં હવે ટેસ્ટ રમતા શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને આયર્લેન્ડ અને ઝિમ્બાવેને જૂનમાં ઝિમ્બાવેમાં યોજાનારા વર્લ્ડ કપ ક્વોલિફાય ટુર્નામેન્ટ દ્વારા ટિકિટ મેળવવી પડશે. આ ચારી ટીમ ઉપરાંત નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, ઓમાન, નેપાળ, યુએસએસ અને યુએઇની ટીમો પણ ક્વોલિફાયરમાં પોતાનું નસીબ અજમાવશે અને વર્લ્ડ કપની ટિકિટ મેળળાનો પ્રયાસ કરશે. વર્લ્ડ કપ દરમિયાન ૧૦ ટીમો રાઉન્ડ રોબિન આધારે એકબીજા સામે ટકરાશે. આ પછી ટોચની ૪ ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
Advertisement
Advertisement
Advertisement