તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન વિશે ચર્ચા છે કે તેમને કેન્સર છે. આ સમાચાર આવતા જ ચાહકો ચોંકી ગયા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે આ સમાચારમાં કોઈ સત્યતા નથી. આ વાતની પુષ્ટિ ખુદ તારક મહેતા શોના જેઠા લાલ દિલીપ જોશીએ કરી છે.
Advertisement
Advertisement
દિશા વાકાણીએ વર્ષ 2019માં શોને અલવિદા કહી દીધું હતું. તેમણે આનું કારણ મેટરનિટી લીવ તરીકે જણાવ્યું. ત્યારથી ફેન્સ તેની શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોમાં પાછા ફરવા માટે મેકર્સે ઘણી વખત તેમનો સંપર્ક કર્યો પરંતુ તેણે ના પાડી. દિશા શોની સૌથી લોકપ્રિય અને ફેવરિટ અભિનેત્રી હતી.
દિલીપ જોશીએ જણાવ્યું સત્ય
સમાચાર સામે આવ્યા છે કે દિશા વાકાણીને ગળાનું કેન્સર થઇ ગયું છે. દિલીપ જોશીએ આ અંગે વાત કરતાં કહ્યું કે, આજે સવારથી મને સતત કોલ્સ આવી રહ્યાં છે. દરેક વખત કંઇકને કંઇક અજીબ સમાચાર સામે આવતા રહે છે. મને લાગે છે કે, આને પ્રોત્સાહન આપવાની જરૂરત નથી. હું બસ તેટલું કહેવા માંગુ છે કે, આ બધી અફવા છે. તેના પર ધ્યાન આપશો નહીં.
એટલે દિશા વાકાણીના ફેન્સને ચિંતા કરવાની જરૂરત નથી. તારક મહેતાના ઉલ્ટા ચશ્માના જેઠાલા એટલે દિલીપ જોશીએ સ્પષ્ટ કરી દીધું છે કે એક્ટ્રેસ ઠિક છે. જોકે, અત્યાર સુધી આ સમાચાર પર દિશા વાકાણીનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.
Jethalal gave an important explanation on the news of Dayaben getting throat cancer
દિશા વાકાણી (Disha Vakani Throat Cancer)એ વર્ષ 2010માં દયાબેનના અજીબોગરીબ અવાજ અંગે વાત કરી હતી. દિશેએ કહ્યું હતુ કે, દરેક વખત એક જ અવાજને બનાવી રાખવો ખુબ જ કઠિન છે. પરંતુ ભગવાનની કૃપા છે કે તેમને ક્યારેય પણ તેમના અવાજને નુકશાન પહોંચ્યું નથી અને ના ગળામાં કોઈ સમસ્યા થઇ નથી. આ અવાજથી તેઓ દિવસમાં 11-12 કલાક શૂટિંગ કરતી હતી.
Advertisement