મુંબઇ: જસપ્રીત બુમરાહને શ્રીલંકા વિરૂદ્ધ આગામી 3 મેચની વન ડે સીરિઝ માટે ભારતની વન ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટમાં એક્શનથી દૂર હતો અને પીઠની ઇજાને કારણે ICC ટી-20 વર્લ્ડકપ (T20 Worldcup)થી પણ બહાર થઇ ગયો હતો. ભારતીય ટીમ માટે અંતિમ વખત બુમરાહ ગત વર્ષે ઘરે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 મેચ રમ્યો હતો.
Advertisement
Advertisement
પેસરને રિહૈબિલિટેશનથી પસાર થવુ પડ્યુ છે અને હવે તેને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA) દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તે જલ્દી ટીમ ઇન્ડિયાની વન ડે ટીમ સાથે જોડાઇ જશે. બુમરાહની વાપસીથી ભારતના ફાસ્ટ બોલિંગ વિભાગને મજબૂતી મળશે જ્યા ટીમ પાસે કેટલાક સમય માટે ગતિની કમી રહી છે.
આ જોવુ રસપ્રદ હશે કે ટીમ મેનેજમેન્ટ દ્વારા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ના એક વર્ષણાં ટીમ માટે તેના મહત્વને જોતા કઇ રીતે તક આપવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ભારતે ઘરમાં 50 ઓવરનો વર્લ્ડકપ રમવાનો છે. બુમરાહ છેલ્લા કેટલાક વર્ષમાં IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI) માટે એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે અને તમામની નજર આ વર્ષની ટૂર્નામેન્ટ (IPL 2023)માં ફ્રેન્ચાઇઝી દ્વારા તેના કાર્યભાર મેનેજમેન્ટ પર હશે.
બુમરાહને સામેલ કરવા પર BCCIની પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું, “બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટની કાર્યવાહીથી બહાર હતો અને પીઠની ઇજાને કારણે આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો હતો. ફાસ્ટ બોલર રિહૈબિલિટેશનમાંથી પસાર થયો છે અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (NCA) દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તે જલ્દી ટીમ ઇન્ડિયાની વન ડે ટીમમાં સામેલ થશે.”
India Vs Srilanka ODI Series
10 જાન્યુઆરી- પ્રથમ વન ડે- ગુવાહાટી
12 જાન્યુઆરી- બીજી વન ડે- કોલકાતા
15 જાન્યુઆરી- ત્રીજી વન ડે- તિરૂવનંતપુરમ
શ્રીલંકા વન ડે માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ
Advertisement