સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની મુશ્કેલી વધી શકે છે. ટીમની બહાર રહેલા બુમરાહ 31 માર્ચથી શરૂ થઇ રહેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બહાર થઇ શકે છે. આ સિવાય તેણે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ રમવાનું મુશ્કેલ લાગી રહ્યુ છે. ક્રિકબજના રિપોર્ટ અનુસાર બુમરાહ લાંબા સમય માટે ક્રિકેટથી દૂર રહેશે.
Advertisement
Advertisement
બુમરાહને ફિટ થવામાં સમય લાગી શકે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોએ જણાવ્યુ કે બુમરાહ સારો અનુભવ કરી નથી રહ્યો, તેની નજર ઓક્ટોબરમાં રમાનાર વન ડે વર્લ્ડકપ સુધી ફિટ થવા પર છે. ભલે તે એશિયા કપમાં ટીમનો ભાગ ના બની શક્યો હોય. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તે IPLમાં વાપસી કરી શકે છે, કારણ કે 1 મેચમાં 4 ઓવર જ કરવાની હોય છે. બુમરાહે પોતાની અંતિમ મેચ 25 સપ્ટેમ્બર 2022માં રમી હતી.
ઇજાને કારણે ટી-20 વર્લ્ડકપની બહાર થયો હતો બુમરાહ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ વિરૂદ્ધ સીરિઝ પછી ભારતે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રણ ટી-20 મેચની યજમાની કરી હતી. બુમરાહને ટીમમાં તો સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે એક પણ મેચ રમી શક્યો નહતો.
તે પછી ઓફિશિયલ રીતે બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા સીરિઝમાંથી બહાર થઇ ગયો હતો. તે બાદ તેના અનફિટ હોવાને કારણે ICC ટી-20 વર્લ્ડકપ 2022ની બહાર થવુ પડ્યુ હતુ.
બુમરાહના આંકડા
જસપ્રીત બુમરાહે ભારત માટે 30 ટેસ્ટ, 72 વન ડે અને 60 ટી-20 મેચ રમી છે. ટેસ્ટમાં તેને 128 વિકેટ, વન ડેમાં 121 વિકેટ અને ટી-20 ક્રિકેટમાં 70 વિકેટ ઝડપી છે.
વર્ષ 2022માં તેને 5 વન ડે રમવાની તક મળી હતી અને તેણે 15.76ની એવરેજથી 13 વિકેટ ઝડપી હતી. ટેસ્ટમાં ગત વર્ષે તેને 5 મેચમાં 22 વિકેટ અને ટી-20 મેચમાં 5 મેચમાં 4 વિકેટ ઝડપી હતી.
IPLમાં બુમરાહનું પ્રદર્શન કેવુ રહ્યુ?
બુમરાહ IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી માટે રમે છે, તેણે IPLમાં અત્યાર સુધી 120 મેચ રમી છે અને 23.30ની એવરેજથી 145 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 5/10ની રહી છે, તેણે 7.39ની ઇકૉનોમીથી બોલિંગ કરી છે અને એક વખત 5 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. ગત વર્ષે તેણે 14 મેચમાં 25.53ની એવરેજથી 15 વિકેટ ઝડપી હતી.
Advertisement