સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમી રહી છે. તે પછી ટીમ ઇન્ડિયા ત્રણ મેચની વન ડે સીરિઝ રમશે. વન ડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવનને વન ડે સીરિઝની કમાન સોપવામાં આવી છે જ્યારે શ્રેયસ અય્યર વાઇસ કેપ્ટન રહેશે.
Advertisement
Advertisement
સંજુ સેમસનનો સમાવેશ
વન ડે સીરિઝમાં સંજુ સેમસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સંજુ સેમસન આ વન ડે સીરિઝમાં વિકેટ કીપરની ભૂમિકા નીભાવશે. બીજા વિકેટ કીપર તરીકે ઇશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રજત પાટીદારનો પ્રથમ વખત સમાવેશ
ઘરેલુ ક્રિકેટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનારા રજત પાટીદારનો પણ દક્ષિણ આફ્રિકા સામે વન ડે સીરિઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામે વન ડે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત
શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), રુતૂરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશાન (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શાહબાજ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચહર
ભારત Vs દક્ષિણ આફ્રિકા ODI સીરિઝનો કાર્યક્રમ
પ્રથમ વન ડે- 6, ઓક્ટોબર, 2022- એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉં
બીજી વન ડે- 9 ઓક્ટોબર, 2022- જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કૉમ્પલેક્સ, રાંચી
ત્રીજી વન ડે- 11 ઓક્ટોબર, 2022- અરૂણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
Advertisement