સ્પૉર્ટ્સ ડેસ્ક: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની સીરિઝની પ્રથમ ટી-20 મેચ વેલિંગ્ટનના સ્કાઇ સ્ટેડિયમમાં વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. વરસાદને કારણે ટોસ થઇ શક્યો નહતો. ભારતીય સમય અનુસાર બપોરે 11.30 કલાકે ટોસ થવાનો હતો અને 12 વાગ્યે મેચ શરૂ થવાની હતી પરંતુ વરસાદ ના રોકાતા મેચ ધોવાઇ ગઇ હતી.
Advertisement
Advertisement
રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાના હાથમાં ટીમની કમાન છે. ટી-20 વર્લ્ડકપમાં બન્ને ટીમ સેમિ ફાઇનલમાં પહોચી હતી. ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે હારીને જ્યારે ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામે હારીને બહાર થયુ હતુ. મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પણ આરામ આપવામાં આવ્યો છે. વીવીએસ લક્ષ્મણ ટીમ ઇન્ડિયાના કોચની જવાબદારી સંભાળી રહ્યા છે.
Advertisement