ગુજરાતમાં મોટાભાગના ખેડૂત ઘઉં, સોયાબીન, ચણાં તેમજ રાયડાની ખેતી કરે છે, પરંતુ ઘઉં અને ચણાંની ખેતી માટે વધારે માત્રામાં પાણીની જરૂરિયાત રહે છે. મોટા ભાગના ખેડૂતોની પાસે પાણીનો સંકટ હોય છે. જેના કારણે તેમને સારી ઉપજ મળી શકતી નથી. બધા જ ખેડૂતો ઈચ્છે છે કે, તેઓ ઓછા પાણીમાં સારો પાક મેળવી શકે. તેવામાં અમે તમને અળસીની ખેતી અંગે જાણકારી આપી રહ્યાં છીએ, જેની ખેતી ઓછા પાણીમાં પણ વ્યવસ્થિત રીતે થઇ શકશે અને સારી એવી કમાણી શકાય છે. અળસીની ખેતી કરવા માટે ખેડૂતોને વધારે સિંચાઈની આવશ્યકતા પડતી નથી.
Advertisement
Advertisement
અળસીના લાભ તેમજ ગુણ – અળસીના બી સ્વાસ્થ્ય માટે ઘણા લાભકારક હોય છે, જેનું સેવન કેન્સર જેવી ઘાતક બીમારીઓને નિયંત્રણમાં કરવા માટે પણ કરવામાં આવે છે. સાથે જ અળસી પાચન, બ્લડ શુગરને નિયંત્રિત, પેટ સંબંધિત સમસ્યા વગેરેને ઠીક કરવામાં મદદ કરે છે.
બજારમાં હંમેશા તેની માંગ રહે છે, એવામાં ખેડૂતો તેની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. અળસીની ખેતીની એક ખાસ વાત એ છે કે, તેને ઓછા પાણીમાં સરળતાથી ઉગાડી શકાય છે.
આપણા દેશમાં ક્યાં થાય છે અળસીની ખેતી? – આપણા દેશમાં અળસીની ખેતી 2.96 લાખે હેક્ટર ક્ષેત્રમાં થાય છે, જે વિશ્વના કુલ ક્ષેત્રફળના 15 ટકા છે. અળસીના વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમે, ઉત્પાદનમાં ત્રીજા ક્રમે તથા ઉપજ પ્રતિ હેક્ટરમાં આંઠમાં સ્થાને છે. મઘ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન તેમજ ઓડિશા અળસીના મુખ્ય ઉત્પાદક રાજ્ય છે. ગુજરાતમાં ભાગ્ય જ કોઈ ખેડૂત અળસીની ખેતી કરતો હશે.
અળસીની ખેતી માટે કેવી જમીન જોઈએ? – અળસીના પાક માટે કાળી ભારે અને ચિંકળી જમીન યોગ્ય ગણવામાં આવે છે. મધ્યમ ફળદ્રુપ જમીન વધુ ફળદ્રુપ જમીન કરતાં વધુ સારી માનવામાં આવે છે. આધુનિક ખ્યાલ મુજબ પાણી અને ખાતરની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો કોઈપણ પ્રકારની જમીનમાં અળસીની ખેતી સફળતાપૂર્વક કરી શકાય છે.
અળસી માટે ખેતરની તૈયારી – અળસીની સારી ઉપજ મેળવવા માટે ખેતર ઢીલું અને નીંદણ રહિત હોવું જોઈએ. અળસીના દાણા નાના અને બારીક હોય છે, તેથી સારા અંકુરણ માટે માટી ઢીલી હોવી જરૂરી છે.
અળસીમાં પાણી વ્યવસ્થાપન કે સિંચાઈ – અળસીના સારા ઉત્પાદન માટે વિવિધ જટિલ તબક્કામાં સિચાઈની જરૂર હોય છે. જો 2 સિંચાઈ ઉપલબ્ધ હોય તો, પ્રથમ સિંચાઈ વાવણી કર્યાના એક મહિના પછી તેમજ બીજી સિંચાઈ ફળ આવવા પહેલા કરવી જોઈએ. સિંચાઈની સાથે-સાથે ખેતરમાં પાણીના નિકાસની વ્યવસ્થા હોવી જોઈએ. પ્રથમ તેમજ દ્વિતિય સિંચાઈ 30-35 તેમજ 60-65 દિવસના અંતરે કરવી જોઈએ.
અળસીની ખેતીમાં કેટલી કમાણી? – ખેડૂતોનું કહેવું છે કે, અળસીનો પાક માત્ર 95 દિવસોમાં પાકીને તૈયાર થઈ જાય છે. સાથે જ એક વીઘા જમીનમાં 4 ક્વિન્ટલ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગત એક વર્ષ સુધી અળસીના પ્રતિ ક્વિંન્ટલ 6,000 રૂપિયા મળી રહ્યા હતા.
ડિસ્ક્લેમરઃ ઉપરોક્ત આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ-સૂચન લઇને તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.
Advertisement